Friday 14 July 2017

Diabetes Jagruti (DJ) Program

Diabetes Jagruti (DJ) Program

ડાયાબિટીસ જાગૃતિ પ્રોગ્રામ

અમેરિકાના ટોચના 12 ડોક્ટરો દ્વારા
ડાયાબિટીસ દૂર કરવાના ઉપાય
                        Disclaimer:
The information in subsequent pages here is not medical opinion. This is the compilation of information from publicly available websites. You need to consult trained medical professional before using any information. Please thoroughly check the information from the website link provided. You will be responsible for any consequences of using this information.




અનુક્રમણિકા
અધ્યાય સં.
વિશે
પેજ સં.
 અધ્યાય 1
ડૉ. ડીન ઓર્નિશ
3
    અધ્યાય 2
ડૉ. નીલ બર્નાડ
6
    અધ્યાય 3
ડૉ. જોલ કાહ્ન
10
    અધ્યાય 4
ડૉ. જોલ ફૂહ્રમાન
15
    અધ્યાય 5
ડૉ. સારાહ હોલબર્ગ
20
    અધ્યાય 6
ડૉ. જેસન ફૂંગ
24
    અધ્યાય 7
ડૉ. મિશેલ મેગી
31
    અધ્યાય 8
ડૉ. જે. મુરે હોકિંગ્સ
36
    અધ્યાય 9
ડૉ. વર્ન ચેરેવાતેન્કો
44
    અધ્યાય 10
ડૉ. ગેબ્રિયલ કૌસેન્સ
50
    અધ્યાય 11
ડૉ. રિચર્ડ કે. બર્નસ્ટેઇન
56
    અધ્યાય 12
ડૉ. એલેક્સા ફ્લેકનસ્ટેઇન
64


અમેરિકાના ટોચના 12 ડોક્ટરો દ્વારા ડાયાબિટીઝ દૂર કરવાના ઉપાયો

ડાયાબિટીસ દૂર કરવામાં નવીનતમ વૈજ્ઞાનિક રિસર્ચ - 80 % કાચા ફળ/શાકભાજી ખાવા;          
16 કલાક ઉપવાસ: 8 કલાક ભોજનનો સમય; ડેરી, ઘઉં, ભાત, તેલથી બચવું; ફક્ત શાકાહારી ભોજન

                                              અધ્યાય 1
ડૉ. ડીન ઓર્નિશ વિશે :
1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ

ડૉ. ડીન ઓર્નિશ, એમ.ડી.
સરનામું       : 900 Bridgeway Ste 1, Sausalito, CA 94965.
ફોન નંબર : 805-963-0225
ઈમેલ : dean.ornish@pmri.org
વેબસાઈટ : www.deanornish.com
વેબસાઈટ લિંક: http://deanornish.com/about/
અભ્યાસ :   
વિદ્યાર્થી:  ડીન ઓર્નિશે ઓસ્ટિન શહેરની યુનિવર્સીટી ઓફ ટેક્સાસમાં માનવ-વિદ્યાઓ (Humanities)માં ઉચ્ચ અંકો સાથે B.A. ની ડિગ્રી મેળવેલ છે, જ્યાંથી તેઓએ બેચલરની ડિગ્રી મેળવી.  ડૉ. ઓર્નિશે બેયલર કોલેજ ઓફ મેડિસિનમાંથી  M.D. ની ડિગ્રી મેળવી. તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં ચિકિત્સા વિજ્ઞાનમાં એક તબીબી વ્યક્તિ હતા. તેઓએ મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાંથી ઇન્ટરનલ મેડિસિનમાં ઇન્ટર્નશીપ અને રેસિડેન્સિ પૂર્ણ કરી હતી. પ્રોફેસર: ડૉ. ઓર્નિસ કેલિફોર્નિયા યુનિવર્સીટી, સાન ફ્રાંસિસ્કોમાં ક્લિનિકલ પ્રોફેસર ઓફ મેડિસિન છે. સલાહકાર :ડૉ. ઓર્નિશની નિમણૂંક નિવારણ, આરોગ્ય સુધારો, અને સમન્વયાત્મક અને સાર્વજનિક આરોગ્ય પર વ્હાઈટ હાઉસ એડવાઇઝરી ગ્રુપ માટે રાષ્ટ્રપતિ ઓબામા દ્વારા થઇ હતી. રાષ્ટ્રપતિ ક્લિન્ટન દ્વારા તેમની નિમણૂંક વ્હાઈટ હાઉસ કમિશનમાં પૂરક અને વૈકલ્પિક તબીબી નીતિ માટે થઇ હતી. તેઓ સાન ફ્રાંસિસ્કો ફૂડ બેંક અને જે. ક્રેગ વેન્ટર ઇન્સ્ટિટ્યુટના બોર્ડ ઓફ ડાયરેક્ટરના સભ્ય છે. તેઓ કેલિફોર્નિયા એકેડમી ઓફ મેડિસિન માટે ચૂંટાયા હતા અને ગૂગલ હેલ્થ એડવાઇઝરી કાઉન્સિલ (2007-2009) ના અધ્યક્ષ હતા. તેઓ 1993 થી પ્રેસિડેન્ટ ક્લિન્ટન અને યૂ.એસ. કોંગ્રેસના ઘણા દ્વિપક્ષીય સભ્યોના ફિઝિશિયન સલાહકાર રહ્યા છે. તેઓએ વ્હાઈટ હાઉસ, કેમ્પ ડેવિડ, અને એર ફોર્સ વનના રસોઈયાઓને (1993-2000) વધારે સારું સ્વાસ્થ્યપૂર્ણ ભોજન બનાવવા માટે સલાહ આપી છે.

પ્રેસિડેન્ટ ક્લિન્ટને હૃદય રોગથી બચવા માટે ડૉ. ઓર્નિશના પ્રોગ્રામને અનુસરવાની જાહેરમાં વાત કરી છે.  

ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. ડીન ઓર્નિશ નો કાર્યક્રમ :
                             
Type 2 ડાયાબિટીસની મુખ્ય જટિલતા કોરોનેરી હાર્ટ ડિસીજ છે.
અમારા પ્રોગ્રામની મદદથી તેમાંથી બચી શકાય છે અને તેને દૂર કરી શકાય છે. વધુમાં, અમારી પાસે એક હજાર કરતા પણ વધારે ડાયાબિટીસ (Type 2) ના ડેટા છે જે દર્શાવે છે કે તેઓ અમારા પ્રોગ્રામની મદદથી તેઓના હિમોગ્લોબિન A1c ને 7.0 થી વધારેથી 7.0 થી ઓછા સુધી ઘટાડી શકો છો. ઉપરના 7.0 થી નીચેના 7.0 સુધી ઘટાડી શકે છે.
"આપના સુગર અને શુદ્ધ કાર્બોહાઈડ્રેટના ઉપભોગને ઓછો કરવા માટે વધારે સાવધાન રહો."
ઉમેરાયેલ ચરબી કે એનિમલ પ્રોટીનની જરૂર નથી :
અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અનુસાર, જો તમે 7.0 ની નીચે રાખી શકો તો તમે Type 2 ડાયાબિટીસની તમામ જટિલતાને અટકાવી શકો છો. તમને તમારા આહારમાં વધારે ચરબી કે એનિમલ પ્રોટીન ઉમેરવાની જરૂર રહેતી નથી, પણ તમને તમારા સુગર અને શુદ્ધ કાર્બોહાઈડ્રેટ (સફેદ ફૂલ, સફેદ ભાત અને આલ્કોહોલ) ના ઉપભોગને ઓછો કરવા માટે વધારે સાવધાન રાખવાની જરૂર છે.
આખા ફળોનું સેવન કરવું :                                                                                                                                                   
ફ્રૂટ જ્યુસ પીવાનું બંદ કરવું અને તેના બદલે આખા ફળો ખાવાનું શરુ કરો. ફાયબર તમારા પેટમાંથી તમારા લોહીના પ્રવાહમાં ખોરાકના શોષણને ઘટાડશે, આમ બ્લડ સુગરમાં સ્પાઈક્સ ઘટાડવાથી તમારા શરીરમાં ઇન્સુલિન વધારે પ્રમાણમાં વહેવા લાગે છે. મોટાભાગના લોકો જે અમારા પ્રોગ્રામને અનુસરે છે, તેઓ પોતાના ડોક્ટરની દેખરેખમાં ડાયાબિટીસની દવાઓ ઘટાડી રહ્યા છે અથવા દૂર કરી રહ્યા છે.

                                                 અધ્યાય 2
ડૉ. નીલ બર્નાર્ડ વિશે :
1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ

neal-book-500.jpg
ડૉ. નીલ બર્નાર્ડ, M.D., F.A.C.C.
સરનામું :   5100 Wisconsin Ave.,N.W.,Ste.400,Washington DC,20016
ફોન નંબર :   202-686-2210
ઇમેલ :   pcrm@pcrm.org
વેબસાઈટ :   www.pcrm.org
વેબસાઈટ લિંક :   http://www.pcrm.org/media/experts/neal-barnard
અભ્યાસ :   
વિદ્યાર્થી:   નીલ બર્નાર્ડ, M.D., F.A.C.C., વોશિંગ્ટન ડી.સી. માં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સીટી સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ હેલ્થ સાયન્સમાં એક સહાયક એસોસિએટ પ્રોફેસર ઓફ મેડિસિન છે, તેઓ ફિઝિશિયન્સ કમિટી ફોર રેસ્પોન્સીબળ મેડીસીનના પ્રેસિડેન્ટ, અને બર્નાર્ડ મેડિકલ સેન્ટરના સ્થાપક છે. પ્રોફેસર: નીલ બર્નાર્ડ, M.D., F.A.C.C., વોશિંગ્ટન ડી.સી. માં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સીટી સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ હેલ્થ સાયન્સમાં એક સહાયક એસોસિએટ પ્રોફેસર ઓફ મેડિસિન છે, તેઓ ફિઝિશિયન્સ કમિટી ફોર રેસ્પોન્સીબળ મેડીસીનના પ્રેસિડેન્ટ, અને બર્નાર્ડ મેડિકલ સેન્ટરના સ્થાપક છે. ડૉ. બર્નાર્ડ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિઓલોજીના એક ફેલો છે, તેઓ 2016 માં અમેરિકન કોલેજ ઓફ લાઈફસ્ટાઈલ મેડિસિનનો ટ્રેઇલબ્લાઝર એવોર્ડથી સમ્માનિત થયા હતા. ડૉ. બર્નાર્ડે 70 કરતા વધારે વૈજ્ઞાનિક પ્રકાશનો અને 18 પુસ્તકો પણ લખેલ છે, જેમાં New York Times best-sellers Power Foods for the Brain, 21-Day Weight Loss Kickstart, અને the USA Today best-seller Dr. Barnard’s Program for Reversing Diabetes નો સમાવેશ છે.  ફિઝિશિયન સમિતિના પ્રેસિડેન્ટ તરીકે, ડૉ. બર્નાર્ડ સુરક્ષાત્મક દવાઓ, પૌષ્ટિક આહાર, અને ઉચ્ચ નૈતિક આધારોનો પક્ષ લે છે. તેઓ આહાર અને સ્વાસ્થ્યને લગતા ચાર PBS ટેલિવિઝન કાર્યક્રમો ચલાવે છે. ડૉ. બર્નાડ જો કે ફાર્ગો, N.D. ના છે, તેઓએ પોતાની મેડિકલ ડિગ્રી જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સીટી સ્કૂલ ઓફ મેડિસિનમાંથી મેળવી અને અહિયાંથી જ પોતાની રેસિડેન્સી પૂરી કરી. તેઓએ ફિઝિશિયન્સ કમિટીની સ્થાપના કરવા માટે વોશિંગ્ટન પાછા આવતા પહેલા ન્યૂ યોર્કના સેંટ વિન્સેંટ્સ હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરી.

                                                                                                                                    બર્નાર્ડ મેડિકલ સેન્ટર : 2015 માં, ડૉ. બર્નાડે બિનનફાકારક બર્નાર્ડ મેડિકલ સેન્ટરની સ્થાપના કરી, જે વોશિંગ્ટન ડી.સી.માં જાન્યુઆરી 2016માં ચાલુ થયું. બર્નાડ મેડિકલ બિમારીના કારણોથી બચવામાં પણ દર્દીઓની મદદ કરે છે. તેઓ બચાવ અને પોષક તત્વો દ્વારા સ્વાસ્થ્ય સુધાર પર વધારે જોર આપે છે. આનાથી સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, એલિવેટેડ કોલેસ્ટ્રોલ, માઇગ્ર્રેઇન્સ, અને સંધિવા જેવી ગંભીર બિમારીઓથી દવા અને આહાર દ્વારા બચવા અને તેને દૂર કરવાનો નવો ઉપાય મળ્યો છે. બર્નાર્ડ મેડિકલ આહાર પર ધ્યાન આપે છે જેમાં રજીસ્ટર્ડ આહાર નિષ્ણાંતની સાથે વ્યાપક આહાર કાઉન્સલિંગ અને ગ્રુપ કુકિંગ ક્લાસિસનો સમાવેશ છે.             


ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. નીલ બર્નાડનો કાર્યક્રમ :


જો તમને ડાયાબિટીસ છે અથવા થવાની શક્યતા છે તો આ કાર્યક્રમ તમારા જીવનની દિશા બદલી દેશે.
જો કે ડાયાબિટીસ એક એવી ગંભીર બિમારી છે કે આના દર્દીઓને મોટેભાગે હૃદય રોગ, નસ-ક્ષતિ, અંધત્વ, આઘાત, અથવા કિડની ખરાબી પણ થઇ જાય છે, પણ આમ ના થવું જોઈએ.

ડાયાબિટીસ દૂર કરવાના ડૉ. નીલ બર્નાર્ડનો કાર્યક્રમ ડાયાબિટીસથી બચવા, ઘટાડવા અને અહિયાં સુધી કે દૂર કરવા માટે એક નવો આહાર દૃષ્ટિકોણ જણાવે છે. પ્રોગ્રામ પાછલા વર્ષોમાં ડૉ. બર્નાર્ડ અને તેઓના સાથીઓ દ્વારા હાથ ધરાયેલ રિસર્ચના અભ્યાસની શ્રેણી પર આધારિત છે, જેમાંથી તાજેતરના રિસર્ચ અભ્યાસનું  ભંડોળ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2006 માં પ્રકાશિત ઈશ્યુ ઓફ ડાયાબિટીસ કેર, આ અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યું કે બ્લડ સુગર નિયંત્રિત કરવા માટેના આહાર માર્ગદર્શન માટે ડૉ. બર્નાડનો પ્રોગ્રામ અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન કરતા ત્રણ ગણો વધારે અસરકારક છે. અભ્યાસ પણ દર્શાવે છે કે ઓછી-ચરબીવાળો શાકાહારી આહાર–તમામ પ્રકારની એનિમલ વસ્તુઓ અને વધારે ઉમેરેલ વનસ્પતિ તેલ રહિત– લેવાથી વ્યક્તિ પોતાના કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછુ કરી શકે છે, પોતાનું બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે, અને વજન ઘટાડી શકે છે. સૌથી સારું એ છે કે ખોરાકમાં એક પણ કેલરી, ની માંગ નથી, અથવા કાર્બોહાઈડ્રેટ લેવાનું બિલકુલ છોડી દો. તદ્દન વિરોધી ઊલટું કે તમે ઈચ્છો તેટલું ખાઈ શકો છો. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિની કેશિકાઓમાં જે પણ જાય છે તેને આહાર કેવી રીતે હકીકતમાં બદલી દે છે. તેમાંથી આહાર ખરેખર કેવી રીતે બદલાય છે. ખરાબ ઇન્સુલિનની ભરપાઈ કરવાને બદલે ડૉ. બર્નાર્ડ અન્ય ઉપચાર યોજનાઓની જેમ તે વસ્તુમાં ફેરફારના પ્રયત્ન કરે છે જેનાથી શરીર ઇન્સુલિનનો ઉપયોગ કરે છે.

વેબસાઈટ લિંક:  http://www.pcrm.org/media/experts/neal-barnard-diabetes-book                                                      
                                        અધ્યાય 3
                         ડૉ. જોએલ કાહ્ન વિશે :   
1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ

joel-kahn-md-with-book.jpg
ડૉ. જોએલ કાહ્ન M.D
સરનામું :   Bloomfield Location (Emcura Clinic)
                                         4050 West Maple Road, Suite 108
                                         Bloomfield Township, MI 48301.
ફોન નંબર :    (248) 731-7412 !
વેબસાઈટ :     drjoelkahn.com
વેબસાઈટ લિંક :      https://kahnlongevitycenter.com/
અભ્યાસ :   વિદ્યાર્થી:        
ડૉ. જોએલ કાહ્ન પ્લાન્ટ આધારિત કાર્ડિયોલોજિસ્ટ છે જેમનું વ્યક્તિગત મિશન આગામી બે વર્ષોમાં 10 લાખ હાર્ટ એટેક રોકવાનું છે. યૂ.એસ. ડિપાર્ટમેન્ટ હેલ્થ & હ્યુમન સર્વિસિસ અને સર્જન જનરલ દ્વારા 10 લાખ હાર્ટ એટેક રોકવાનો લક્ષ્ય હાથ ધરાયો છે. ડૉ. કાહ્નની કાર્ડિયોલોજીની બ્રાન્ડમાં પૂરા ઉપચાર માટે પશ્ચિમની સૌથી શ્રેષ્ઠ અને પૂરક થેરાપીનો સમાવેશ છે. તેઓ "અમેરિકાસ હોલિસ્તિક હાર્ટ ડોક" તરીકે પ્રસિદ્ધ છે અને યુનિવર્સીટી ઓફ મિશિગન, એન્ન આર્બર, માંથી ઉચ્ચ માર્ક સાથે ગ્રેજ્યુએટ થયા છે. ડૉ. કાહ્ન 1990 થી ડેટ્રોઇટમાં આક્રમક, હસ્તક્ષેપ અને નિવારક સંબંધિત કાર્ડિયોલોજીનો અભ્યાસ કરી રહ્યા છે. 2) પ્રોફેસર:  ડૉ. જોએલ કાહ્ન વેઇન સ્ટેટ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં મેડિસિન (કાર્ડિયોલોજી)ના એક ક્લિનિકલ પ્રોફેસર અને ઓકલેન્ડ યુનિવર્સિટી બ્યુમોન્ટ સ્કૂલ ઓફ મેડિસિનમાં એસોસિએટ પ્રોફેસર છે. 2013 માં, ડૉ. કાહ્નને યુનિવર્સીટી ઓફ સાઉથ ફ્લોરિડાથી મેટાબોલિક કાર્ડિયોલોજીમાં પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું, અને દુનિયાભરમાં કાર્યક્રમ પૂર્ણ કરનાર પ્રથમ ફિઝિશિયન બન્યા હતા. એન્ટી-એજિંગ મેડિસિનની અમેરિકન એકેડમીએ પણ ડૉ. કાહ્નને મેટાબોલિક કાર્ડિયોલોજીમાં સર્ટિફાઈડ કર્યા છે. છેલ્લા 25 વર્ષોમાં, ડૉ. કાહ્નને તેમના હજારો દર્દીઓના જીવન અને જીવનશક્તિમાં સુધારો કર્યો, તેઓને ખરાબ સ્વાસ્થ્યથી સારા જીવન તરફ લઇ ગયા. દર્દીઓનું ધ્યાન રાખવા પ્રતિ તેઓનું સમર્પણ તેમને ટોચનું સમ્માન અપાવે છે અને તેઓની ઘણા વર્ષો સુધી ટોપ ડોક્ટર ઇન કાર્ડિયોલોજી તરીકે પસંદગી થઇ. શિક્ષા અને બચાવ પ્રત્યેની તેમની લગનને તેમના દર્દીઓ અને સાથી ડોક્ટરોએ ઓળખી કાઢી. રીડર્સ ડાયજેસ્ટ મેગેઝીને ડૉ. કાહ્નની તેમના હોલિસ્ટિક હાર્ટ ડોક કોલમ માટે પસંદગી કરી અને તેમનું પુસ્તક, ધ વ્હોલ હાર્ટ સોલ્યુશન, એન એમેઝોન #1 ટોપ સેલિંગ, પ્રકાશિત કર્યું. તેઓનું બીજું પુસ્તક, ડેડ એક્ષેક્સ ડોન્ટ ગેટ બોનસિસ, 2015 પ્રકાશિત થયું હતું અને તે બેસ્ટસેલરની લિસ્ટમાં પણ છે. ડૉ. કાહ્નના ચિકિત્સા વિચારો હફિંગટન પોસ્ટ અને માઈન્ડ બોડી ગ્રીન (સંયુક્ત પ્રચાર માસિક 50.1 મિલિયન અનન્ય મુલાકાતીઓ) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને તેઓને વારંવાર રેડિયો, ટીવી અને પોડકાસ્ટમાં બોલાવવામાં આવે છે. ડૉ. કાહ્ન ડેટ્રોઈટમાં એક આરોગ્ય ટીકાકાર અને યાહૂ હેલ્થ એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે નિયમિતપણે FoxTV 2 માં દેખાડો આપે છે. ડૉ. કાહ્ન વિશે વધારે માહિતી માટે, drjoelkahn.com પર જાઓ.  

ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. જોએલ કાહ્ન નો કાર્યક્રમ :
Type 2 ડાયાબિટીસને દૂર કરવી: તરત કાર્યવાહી કરો


Type 2 ને દૂર કરવી એટલું સરળ છે કે તેના માટે વધારે પડતો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો વ્યર્થ છે.

ડૉ. નીલ બર્નાડે પહેલેથી જ છોડ આધારિત ભોજનને પ્રાથમિકતા આપી છે અને Type 2 ડાયાબિટીસમાં વજન ઓછું કરનાર આહાર માટે સલાહ આપી છે. મારા મિત્ર માર્ક રમીરેઝ, પૂર્વ યુનિવર્સીટી ઓફ મિશિગન રાઈટ ગાર્ડ, જેમને 3૦ થી 40 વર્ષની ઉંમરમાં સ્થૂળતા પછી ડાયાબિટીસ થઇ ગઈ. આ બિમારી માટે ઘણી દવાઓ લીધા પછી પણ તેને દૂર કરવાની કોઈ શક્યતા નહોતી. ફોક્સ ઓવર નાઈવ્સ જોયા પછી તે તરત ચાર વર્ષ સુધી ઓછી ચરબીવાળા આખા અનાજ, કંદમૂળવાળો આહાર લેવા લાગ્યા. સરળતાથી તેમનું વજન ઓછું થઇ ગયું અને થોડાંક જ મહિનામાં તેમની દવા છૂટી ગઈ. અત્યારે પણ તેમને દવાની કોઈ જરૂર નથી અને તેમની આ બિમારી મટી ગઈ છે.  
     
આ અઠવાડિયે આવેલ ડેટાને કારણે આશામાં વધારો થયો છે. નવા અભ્યાસમાં 30 સ્વયંસેવકો એવા હતા જેમને Type 2 ડાયાબિટીસ હતી અને જેઓએ આઠ અઠવાડિયા સુધી દિવસમાં 600-700 કેલરીવાળો આહાર લીધો જેમાં એક દિવસમાં ત્રણ ડાઈટ શેક અને 240 ગ્રામ સ્ટાર્ચ-રહિત શાકભાજીનો સમાવેશ થતો હતો. જેમાંના કેટલાકનો ઉપચાર છેલ્લા ૨૩ વર્ષોથી ચાલુ હતો. આઠ અઠવાડિયા પછી તેઓનો સામાન્ય આહાર ચાલુ થઇ ગયો પણ તેઓ પહેલા જેટલી કેલરી લેતા હતા તેનાથી ત્રીજા ભાગની કેલરી લઇ શકતા હતા. અને તેઓએ છ મહિના સુધી ચાલુ રાખ્યું હતું. તેઓ મહીને-મહીને આવતા હતા.
પરિણામ શું આવ્યું? છ મહિના સુધી આહાર સંતુલન દ્વારા તેર સ્વયંસેવકોને Type 2 ડાયાબિટીસમાંથી છુટકારો મળ્યો હતો. સહભાગીઓએ સરેરાશ 30 પાઉન્ડ વજન ઓછું કર્યું. ઘણા વધારે વજનવાળા અથવા મેદસ્વી રહ્યા પણ સામાન્ય ઇન્સ્યુલિન ઉત્પાદન અને ક્રિયા કરી શકે તેટલા પ્રમાણમાં વજન ઓછું થયું હતું.
અગ્રણી સંશોધક પ્રોફેસર રોય ટેલરે ટિપ્પણી કરી કે, "આપણને જાણવા મળ્યું છે કે તમારી ડાયાબિટીસ દૂર કરવી શક્ય છે, ભલે તમારી સ્થિતિ લાંબા સમયની હોય તો પણ, લગભગ 10 વર્ષ સુધી." જો તમે લાંબા સમયથી પણ વધારે નિદાન કરાવ્યું છે તો આશા છોડશો નહિ  બ્લડ સુગરમાં મોટા સુધારા શક્ય છે. અભ્યાસ દ્વારા પણ પ્રશ્નનો જવાબ મળ્યો કે લોકો મને વારંવાર પૂછે છે જો હું વજન ઓછું કરું અને કરતો રહું, તો શું હું ડાયાબિટીસમાંથી મુક્ત થઈશ? સરળ જવાબ છે હા! મૂળ વાત આમ છે કે જો વ્યક્તિ ખરેખર Type 2 ડાયાબિટીસને દૂર કરવા ઈચ્છતો હોય, તેઓ વજન ઓછું કરી શકે છે, અને પાછા સામાન્ય સ્થિતિ પર આવી જાય. જે લોકો ડાયાબિટીસ દૂર કરવાની ઈચ્છા રાખે છે તેઓના માટે સારા સમાચાર છે." લગભગ 300 Clinical Reseearch વિષયોની એક મોટી અજમાયશ કરવામાં આવી રહી છે.
Type 2 ડાયાબિટીસને માત્ર ઓછી જ નહિ, દૂર પણ કરી શકાય છે, વધતી જતી "ડાયબેસિટી"નો આ સર્વોત્તમ ઉપાય છે.


અધ્યાય 4                                                                        
ડૉ. જોએલ ફર્માન એમ.ડી વિશે :

1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ

fuhrman-200x200.jpg
ડૉ. જોએલ ફર્માન એમ.ડી.  
સરનામું      :    4 Walter E.Foran Blvd.,Suite 408,Flemington, NJ 08822
ફોન નંબર :     (908) 237-0200
ઇમેલ :     jobs@drfuhrman.com
વેબસાઈટ :     www.drfuhrman.com
વેબસાઈટ લિંક :     https://en.wikipedia.org/wiki/Joel_Fuhrman

અભ્યાસ :   

ઝાંખી :                                                     

જોએલ ફર્માન (જન્મ December 2, 1953), એક અમેરિકન લેખક, ફિઝિશિયન, વક્તા, અને મીડિયા ર્સનાલિટી છે જે પોતાની માઈક્રોન્યુટ્રીઅંટ-રીચ દાઈટનો પક્ષ લે છે.
એક પૂર્વ પ્રતિસ્પર્ધી ફિગર સ્કેટર, જેને એક ગંભીર ઈજાને કારણે પ્રતિસ્પર્ધામાંથી નીકળવું પડ્યું. તે કહે છે કે એક વૈકલ્પિક દવા થેરાપીથી તે જલ્દી ઈજામાંથી બહાર આવી શક્યો અને એક ફિઝિશિયન બની ગયો. તેની પ્રેક્ટિસ સ્થૂળતા અને જૂની બિમારીથી લડવા માટે આહાર પર આધારિત છે, જેને ન્યુટ્રીટેરિયન અથવા પ્રતિબંધિત ડાયટ પણ કહે છે, સાથે તે પોતાની વસ્તુ અને પુસ્તકોને પણ પ્રોત્સાહન આપે છે. આહાર નિયમો પર તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે અને કેટલીક આહાર સંબંધિત વસ્તુ વેચે છે. એપ્રિલ 2013 સુધી, તેમનું પુસ્તક Eat to live ન્યૂ યોર્ક ટાઈમ્સમાં બેસ્ટસેલર પેપરબેક એડવાઈસ & મિસ. લિસ્ટમાં 90 અઠવાડિયા સુધી રહ્યું. જીવન અને કારકિર્દી :                                                                                              
ફર્માનનો જન્મ 2 ડિસેમ્બર, 1953 ના રોજ ન્યૂ યોર્ક, ન્યૂ યોર્કમાં થયો. તેઓ શોખીન ફિગર સ્કેટિંગ સર્કિટમાં એક હરીફ હતા. તેઓ US વર્લ્ડ ફિગર સ્કેટિંગ ટીમના એક સભ્ય હતા અને 1973 માં US નેશનલ પેયર્સ ચેમ્પિયનશિપમાં બીજા સ્થાન પર રહ્યા હતા. 1973 માં, તેઓની એડીમાં ઈજા થવાથી તેઓ પ્રતિસ્પર્ધામાં ભાગ નહોતા લઇ શક્યા. તેઓએ એક પ્રાકૃતિક ચિકિત્સક દ્વારા "અનિયમિત ઈલાજ"નો સહારો લીઘો જેમાં લાંબો ઉપવાસ કરવાનો હતો અને ફર્માન વૈકલ્પિક દવામાં રસ લેવા લાગ્યા. તેઓ 1976 માં, જાકા, સ્પેનમાં પોતાની બહેન, ગેલ ફર્માન સાથે સ્કેટિંગ કરીને વર્લ્ડ પ્રોફેશનલ પેયર્સ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ત્રીજા ક્રમે આવ્યા પણ ઉપવાસને લીધે વજન વધારે ઓછું થઇ જવાથી ઓલોમ્પિક ટીમમાં આવી ના શક્યા. 1988 માં, તેઓએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ મેડિસિનમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ફર્માન બોર્ડ દ્વારા પ્રમાણિત ફેમિલી ફિઝિશિયન છે અને ન્યુટ્રીશન રિસર્ચ ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર ઓફ રિસર્ચરના પદ પર પોતાની સેવા બજાવે છે.
ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. જોએલ ફર્માન નો કાર્યક્રમ :
ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ આહાર:
ડાયાબિટીસ US માં મૃત્યુનું 7મું સૌથી મોટું કારણ છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમ બમણું કરે છે. તો પણ, type 2 ડાયાબિટીસ એક જીવનશૈલી રોગ છે - આપણા આહારની પસંદગી ઇન્સુલિન રેજિસ્ટેન્સ અને થનાર ડાયાબિટીસને રોકે છે અથવા વધારી શકે છે. ઘણો પરંપરાગત ડાયાબિટીસ આહાર મુખ્ય કેલરી સ્રોત માટે માંસ અથવા અન્ન પર નિર્ભર હોય છે. પણ, આ રીતોમાં ઘણી ગંભીર ખોટો છે. ઉચ્ચ-પોષણ, ઓછો ગ્લાયસેમિક લોડ (GL) વાળો આહાર જ ડાયાબિટીસવાળાઓ માટે આદર્શ આહાર છે અને આ ખાદ્ય ડાયાબિટીસને પ્રથમ સ્થાન પર જ રોકવામાં મદદ કરે છે:        
                                                                        
  1. લીલા શાકભાજી: પોષક તત્વોવાળા લીલા શાકભાજી – લીલા પાંદડા, પાંદડાવાળા શાકભાજી અને અન્ય લીલા શાકભાજી –– ડાયાબિટીસથી બચવા અને દૂર કરવા માટે આ સૌથી અગત્યનો આહાર છે. જેટલો વધારે લીલા શાકભાજીનો ઉપયોગ થશે type 2 ડાયાબિટીસ થવાની શક્યતા તેટલી જ ઓછી રહેશે અને જેઓને ડાયાબિટીસ છે, તેઓની માટે, જેટલા વધારે લીલા શાકભાજી ખાશે તેટલું જ ઓછું HbA1c લેવલ હશે. હાલમાં જ થયેલ એક મેટા-એનાલિસિસમાં જોવા મળ્યું કે વધારે પડતા લીલા શાકભાજી ખાવાથી type 2 ડાયાબિટીસ થવાની શક્યતા 14 ટકા ઘટી જાય છે. એક અધ્યયન જણાવે છે કે રોજ લીલા પાંદડાવાળું ખાવાથી આની શક્યતા 9 ટકા ઓછી થઇ જાય છે.
  1. સ્ટાર્ચરહિત શાકભાજી: લીલા ના હોય તેવા, સ્ટાર્ચરહિત શાકભાજી જેવી કે મશરૂમ, ડુંગળી, લસણ, રીંગણ, મરી, વગેરે ડાયાબિટીસ રોકવા (અથવા દૂર કરવા) માટેના અગત્યના છે. આ ખાદ્ય બ્લડ ગ્લુકોઝ પર લગભગ શૂન્ય પ્રભાવ પાડે છે અને રેસા અને ફીટોકેમિકલ દ્વારા પેક હોય છે.        
                                                                                                                             
  1. દાળ: દાળ, મસૂર, અને અન્ય કઠોળ કાર્બોહાઈડ્રેટના આદર્શ સ્રોત છે. દાળ તેમના સાધારણ પ્રોટીન અને વધારે માત્રામાં ફાઈબર અને પ્રતિરોધક સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટને કારણે GLમાં ઓછી હોય છે, કારણ કે આ નાના આંતરડામાં તૂટતા નથી. આનાથી દાળમાંથી જે કેલરી શોષાઈ જાય છે તેની માત્રામાં ઘટાડો થાય છે; સાથે જ પ્રતિરોધક સ્ટાર્ચ મોટા આંતરડામાં બેક્ટેરિયા દ્વારા પચાવવામાં આવે છે, જેનાથી એવી વસ્તુઓ પેદા થાય છે જે મોટા આંતરડાના કેન્સરને રોકે છે. આ પ્રમાણે, દાળ અને કઠોળ ખાવાથી ડાયાબિટીસ અને મોટા આંતરડાના કેન્સર થવાની શક્યતા ઓછી થાય છે.
  2. સુકોમેવો અને બીજ: સુકામેવા GL માં ઓછા હોય છે, વજન ઘટાડે છે, અને બળતરા વિરોધી પ્રભાવ પાડે છે જેનાથી ઇન્સ્યુલિન પ્રતિરોધકના વિકાસને રોકી શકે છે. નર્સિસ હેલ્થ સ્ટડીએ શોધ્યું કે જે નર્સ દર અઠવાડિયે પાંચ કે વધારે પ્રકારના સુકામેવા ખાતી હતી તેમનામાં ડાયાબિટીસ હોવાની 27 ટકા શક્યતા ઓછી થઇ ગઈ. જે નર્સોને ડાયાબિટીસ હતી, તેટલી જ માત્રા ખાવાથી તેમનામાં હૃદય રોગની શક્યતા 47% ઓછી થઇ ગઈ.  
  3. તાજા ફળ: ફળોમાં ફાઈબર અને એન્ટીઓક્સિડેંટ વધારે હોય છે અને મીઠું ખાવાની ઈચ્છાને પૂરી કરવા માટે આ સારા પોષક તત્વો છે. રોજ ત્રણ વખત તાજા ફળ ખાવા ડાયાબિટીસ થવાની શક્યતાને 18 ટકા ઓછી કરે છે. જેમને પહેલાથી ડાયાબિટીસ છે તેઓને હું ઓછા મીઠા ફળ ખાવાની સલાહ આપું છું, જેવા કે બેરી, કિવી, નારંગી, અને ટેટી, આ ગ્લાયકેમિક પ્રભાવને ઓછો કરે છે.
 
 આ ધારણા સફળ રહી. Type 2 ડાયાબિટીસ પર હાલના એક અધ્યયને આ આહાર પ્રમાણે ચાલતા અમે જાણ્યું કે 90 ટકા સહભાગીઓ ડાયાબિટીસની બધી દવાઓથી મુક્ત થયા, અને એક વર્ષ પછી સરેરાશ HbA1c 5.8 રહ્યો, જે ડાયાબિટીસ મુક્ત છે. શાકભાજી, સુકામેવા, બીજ, દાળ, અને તાજા ફળયુક્ત આહાર ડાયાબિટીસથી બચાવી શકે છે અને જો કે દૂર કરી શકે છે સાથે જ લાંબુ સ્વસ્થ જીવન પ્રદાન કરે છે.
           મારા પુસ્તક ધ એન્ડ ઓફ ડાયાબિટીસમાં ડાયાબિટીસથી લડવા માટે આ આહારોનું સેવન કેવી રીતે કરવામાં આવે તેના વિશે વધુ જાણો.
આ પુસ્તકમાં, મેં દવાઓના માધ્યમથી નહિ પણ ઉચ્ચ પોષણ તત્વો દ્વારા Type 2 ડાયાબિટીસથી બચવા અને દૂર કરવાની રીત બતાવી છે.
આ રીત પ્રમાણે, કોઈને પણ Type 2 ડાયાબિટીસ ના થવી જોઈએ અને જેઓને Type 1 ડાયાબિટીસ છે તેઓની જીવવાની આશા વધે, સ્વાસ્થ્ય અને જીવન સારું હોય.




                                    અધ્યાય 5
ડૉ. સારાહ હોલબર્ગ, M.D. વિશે :
1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ


Hallberg-Presentation_Vail-2016b–ContrastUp.jpg
 ડૉ. સારાહ હોલબર્ગ, M.D.
સરનામું :   1500 Salem Street,Lafayette, IN 47904
ફોન નંબર :   765.838.7226
વેબસાઈટ :   www.iuhealth.org
વેબસાઈટ લિંક         :   http://iuhealth.org/find-a-doctor/physician/63319/

અભ્યાસ :   સ્કૂલ ઓફ મેડિસિન: ડેસ મોઈન્સ યુનિવર્સીટી અને ઓસ્ટેઓપેથિક મેડિકલ સેન્ટર. રેસિડેન્સી: સેંટ વિન્સેંટ હોસ્પિટલ.  હોસ્પિટલ અને જોડાણ. હોસ્પિટલ વિશેષાધિકારો. IU હેલ્થ એર્નેટ
ફિઝિશિયન ગ્રુપ. IU હેલ્થ એર્નેટ ફિઝિશિયન્સ             

ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. સારાહ હોલબ નો કાર્યક્રમ :              

Type 2 ડાયાબિટીસ દૂર કરવી:
Type 2 કાં તો ઈન્સ્યુલિન પ્રતિકારને લીધે અથવા પૂરતી ઈન્સ્યુલિન ઉત્પન્ન નહિ થવાને લીધે થાય છે. હોલબર્ગના તારણ પ્રમાણે,
"ડાયાબિટીસ એ કાર્બોહાઇડ્રેટના ઝેરીપણાની સ્થિતિ છે. ઈન્સ્યુલિન પ્રતિકાર એ કાર્બોહાઇડ્રેટ અસહિષ્ણુતાની સ્થિતિ છે."
         "કાર્બોહાઈડ્રેટનું સેવન એ બ્લડ સુગરના સ્તરોમાં એકમાત્ર મોટું પરિબળ છે અને તેથી ઉપચાર જરૂરિયાત રહે છે," હોલબર્ગે આમ પણ કહ્યું કે, type 2 માટે કાર્બોહાઈડ્રેટના સેવનને લગતી સામાન્ય ભલામણોને સંબોધતા પહેલા આ વાત પર ધ્યાન આપવું જોઈએ કે હોલબર્ગ ફક્ત અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (ADA) ની વાત કરે છે, પણ NHS અને ડાયાબિટીસ UK વિશે આપણે થોડીવાર પછી જોઈશું. "Type 2 ડાયાબિટીસવાળા દર્દીઓ માટે સામાન્ય સલાહ આ પ્રમાણે છે કે તેઓએ દરેક વખતે ખાવામાં 40-65 ગ્રામ કાર્બોહાઈડ્રેટ લેવો જોઈએ, અને બાકી નાસ્તાના સમયે. અમે ખાસ સલાહ આપીએ છીએ કે તેઓ ફક્ત એવું જ ભોજન લે જે તેઓની તકલીફનું કારણ છે," હોલબર્ગ કહે છે. હોલબર્ગ એવા દર્દીઓને સમજાવે છે કે જેઓ type 2 થી પીડિત છે અને જેઓનો ઈન્સ્યુલિનનો ઉપચાર ચાલી રહ્યો છે: કાર્બોહાઈડ્રેટ ખાધા પછી, ગ્લુકોઝનું સ્તર વધી જાય છે અને ઇન્સુલિનની જરૂરિયાત પડે છે, જે, ઇન્સુલિન આપણો ફેટ સ્ટોરેજ હાર્મોન છે, આનાથી ભૂખ વધે છે અને વજન ઓછો કરવો કઠીન થઇ પડે છે. તે કહે છે: "ADA માર્ગદર્શિકા ખાસ કરીને દર્શાવે છે કે નિશ્ચિત કાર્બોહાઈડ્રેટ સીમાની સલાહ આપવા માટે અનિર્ણાયક પુરાવા છે. ADA માર્ગદર્શિકામાં ક્યાંય પણ type 2 ડાયાબિટીસને દૂર કરવાનો લક્ષ્ય નથી. આમાં ફેરફાર થવો જોઈએ કારણ કે type 2 ને દૂર કરી શકાય છે, અધિકતમ નહિ તો કોઈક પરીસ્થિતિઓમાં તો કરી જ શકાય છે, ખાસ કરીને જો આપણે જલ્દી શરુ કરી દઈએ."     હોલબર્ગ સમજાવે છે " જ્યારે અમારા દર્દીઓ પોતાનો કાર્બોહાઈડ્રેટ ઘટાડે છે, ત્યારે તેઓનું ગ્લુકોઝનું પ્રમાણે ઓછું થાય છે અને તેઓને વધારે ઇન્સુલિનની જરૂરિયાત રહેતી નથી. તેઓનું ઇન્સુલિનનું સ્તર જલ્દીથી ઓછું થઇ જાય છે. ઓછી-કાર્બોહાઈડ્રેટ દરમિયાનગીરી એટલી ઝડપથી કામ કરે છે કે આપણે ખરેખર થોડાક જ દિવસોમાં લોકોમાં ઇન્સુલિનના સેંકડો યુનિટ ઓછા કરી શકીએ છીએ," શું type 2 ડાયાબિટીસનો ઈલાજ થઇ શકે છે?
હોલબર્ગ કહે છે કે જો દર્દી ઓછો કાર્બોહાઈડ્રેટનો ભોજન કરશે, તો તે ડાયાબિટીસથી મુક્ત થઇ શકે છે.
"ઈલાજ થવાનો અર્થ છે કે તે ફરીથી નથી થઇ શકતી, અને જો તેઓ વધારે કાર્બોહાઈડ્રેટ ખાવાનું શરુ કરશે તો ફરીથી થશે,,"
વેબસાઈટ લિંક:

અધ્યાય 6
ડૉ. જેસન ફંગ, M.D વિશે :
1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ


How-to-Reverse-Diabetes-1-Dr.-Jason-Fung-400x225.jpg
 ડૉ. જેસન ફંગ, M.D
સરનામું :     78 Corporate Drive, Unit 10,Scarborough, Ontario,M1H 3G4
ફોન નંબર :     +1 – 416 – 279 – 0855
ઇમેલ :     intensivedietarymanagement@gmail.com
વેબસાઈટ :     www.intensivedietarymanagement.com
વેબસાઈટ લિંક :    https://intensivedietarymanagement.com/people/

  અભ્યાસ :  ઝાંખી :                                                     
ધ ઇન્ટેન્સીવ ડાયટરી મેનેજમેન્ટ (IDM) પ્રોગ્રામ ડૉ. જેસન ફંગ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને તેઓ ટોરોન્ટો, કેનેડાના વતની છે. પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી પેઢીઓ પરના સખત રોગચાળો - મેટાબોલિક સિન્ડ્રોમના ઉપચારનો છે. આ રોગનો એક વિસ્તાર છે જેમાં સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, ફેટી લિવર, અલ્ઝાઇમર રોગ અને કેન્સરનો સમાવેશ છે. ડાયાબિટીસને કારણે લોકોમાં હૃદય રોગ, સ્ટ્રોક, પેરિફેરલ વેસ્ક્યુલર ડિજીજ (PVD) અંગવિચ્છેદન સહીત, અંધત્વ, કિડનીના રોગ અને અન્ય ઘણા રોગો થવાનું જોખમ રહે છે.
IDM પ્રોગ્રામ મેડિકલ ડાયરેક્ટર :
ડૉ. ફંગ ટોરોન્ટોના એક નેફ્રોલોજિસ્ટ (કિડની રોગ નિષ્ણાંત) છે. તેઓએ તેમની મેડિકલ સ્કૂલ અને ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સીટી ઓફ ટોરોન્ટોમાંથી પૂર્ણ કરી. આ પહેલા તેઓએ તેમની નેફ્રોલોજી ફેલોશિપ કેલિફોર્નિયા યુનિવર્સીટી, લોસ એન્જલસમાં સિડર-સિનાઇ હોસ્પિટલમાંથી પૂર્ણ કરી. તેઓ 2001 માં સ્કારબોરો જનરલ હોસ્પિટલમાં જોડાયા, જ્યાં તેઓએ પ્રેક્ટિસ ચાલુ રાખી.
આગળ વાંચો ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ

ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. જેસન ફંગ નો કાર્યક્રમ :

શું તમે એક type 2 ડાયાબિટીક, પૂર્વ-ડાયાબિટીક અથવા તમારા પરિવારમાંથી કોઈને ડાયાબિટીસ છે? જો હા, તો તમે જે વાંચવા જઈ રહ્યા છો તે તમારા માટે સૌથી અગત્યનું છે. આ એક કેનેડાના નેફ્રોલોજિસ્ટ ડૉ. જેસન ફંગ દ્વારા લખેલ છે. તેઓ કહે છે કે આ ખરેખરમાં એક 'એક મોટું જૂઠું' છે. થોડાક વર્ષો પહેલા ફંગ પાસે એક ડેમસ્સીન ક્ષણ હતી. તેમને સમજાયું કે તેઓ પોતાના ડાયાબિટીક, મેદસ્વી દર્દીઓનો ખોટી રીતે ઉપચાર કરી રહ્યા છે. તેઓ ઓર્થોડોક્સ મેડિકલ પ્રોટોકોલ પ્રમાણે ઇન્સુલિન લખીને આપતા. તેઓ પોતાના દર્દીઓને વધારે જાડા અને બિમાર બનાવતા હતા. ફંગ કહે છે, ડાયાબિટીસ ઇન્સ્યુલિન પ્રતિકારનો એક રોગ છે. બીજા શબ્દોમાં, તે અધિક ઇન્સુલિનનો એક રોગ છે.
તેઓ કહે છે, TYPE 2 ડાયાબિટીસ એક આહારથી થતો રોગ છે, અને તમે આહારથી થતા રોગનો ઉપચાર દવાથી નથી કરી શકતા.
જેસન ફંગ દ્વારા :
મોટાભાગના ડોકટરો, આહાર નિષ્ણાતો અને ડાયાબિટીસ નિષ્ણાતો દાવો કરે છે કે type 2 ડાયાબિટીસ હંમેશની, પ્રગતિશીલ બિમારી છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન લગભગ ગર્વપૂર્વક પોતાની વેબસાઈટ પર આ વાતની ઘોષણા કરે છે. જો તમને બિમારીની જાણ થઇ ગઈ છે, તો આ વાક્ય તમારા માટે જીવન છે. પણ હકીકતમાં આ એક મોટું અસત્ય છે: Type 2 ડાયાબિટીસ લગભગ હમેશા દૂર થઇ શકે છે અને આ લગભગ હાસ્યજનક રીતે સાબિત કરી શકાય એવું છે. આ અમેરિકાના 50% કરતા પણ વધારે વયસ્કો માટે સારા સમાચાર છે જેઓને પૂર્વ-ડાયાબિટીસ અથવા ડાયાબિટીસની જાણ છે. આ હકીકતને ઓળખવી એ તમારી ડાયાબિટીસ અથવા પૂર્વ-ડાયાબિટીસને દૂર કરવા માટેનું અતિ મહત્વપૂણ પ્રથમ ચરણ છે. વાસ્તવમાં, એને કાંઇક મોટાભાગના લોકો સહજ ભાવે સાચી માને છે.
            માનો કે તમારા કોઈ મિત્રને ડાયાબિટીસની જાણ છે, પછી 50 પાઉન્ડ વજન ઉતારવા માટે સખત પરિશ્રમ કરે છે. તે પોતાની તમામ દવાઓ લેવાની બંદ કરી દે છે અને તેનું બ્લડ સુગર હવે સામાન્ય છે. તમે એને શું કહેશો? કદાચ એમ "બહુ જ સરસ. તમે બહુ જ સારી રીતે તમારું ધ્યાન રાખો છો. ચાલુ રાખો!"                                                                                                               
તમે આમ કહેશો નહિ કે, "તું બહુ જ ખોટું બોલનાર છે. મારા ડોક્ટર કહે છે કે આ જીવનભર અને પ્રગતિશીલ બિમારી છે, માટે તું ખોટું જ બોલી રહ્યો છે." આ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે ડાયાબિટીસ દૂર થઇ કારણ કે તમારા મિત્રએ જરૂરી તમામ વજન ઓછું કર્યું. અને આ જ તો મૂળ વાત છે: ડાયાબિટીસ દૂર શકે છે. આપણે આ બધું સાથે જાણ્યું છે. પણ ફક્ત આહાર અને જીવનશૈલીમાં બદલાવ જ તેને દૂર કરી શકે છે. દવાઓ નહિ. ખરેખર, સૌથી અગત્યની વસ્તુ છે વજન ઘટાડવું. પણ ડાયાબિટીસની દવાઓ આ નથી કરતી. તદ્દન આનાથી વિપરીત. ઉદાહરણ તરીકે, વજન વધવા માટેનું નામચીન કારણ છે ઇન્સુલિન. દર્દીઓએ સૂક્ષ્મતાથી સમજવું જોઈએ કે તેઓ ખોટા રસ્તે જઈ રહ્યા છે.     
તેઓ વારંવાર મને કહેશે, "ડોક્ટર. તમે હમેશા કહ્યું હતું કે વજનનું ઘટવું એ ડાયાબિટીસ દૂર કરવાની ચાવી છે. તોપણ તમે મને દવા લખીને આપી, જેનાથી મારું વજન 25 પાઉન્ડ વધી ગયું. આ કેવી રીતે સારું છે?" મને ક્યારે પણ સારો જવાબ નથી મળ્યો, કારણ કે કોઈ જવાબ જ નથી. આ સારું નહોતું. ચાવી હતી વજન ઘટાડો, ત્યારબાદ ડાયાબિટીસ ઘણી વખત દૂર થાય છે અથવા ઓછામાં ઓછી ઘણી ખરી સારી થાય છે. તેથી, તાર્કિક રીતે, ડાયાબિટીસ દૂર કરવામાં ઇન્સુલિન મદદ કરતુ નથી, પણ હકીકતમાં તે બગાડે છે.
અન્ય દવાઓ જેવી કે મેટફોર્મિન અથવા DPP4 દવા વર્ગ વજનને એવું જ રાખે છે. જો આનાથી કોઈ નુકસાન થતું નથી, તો ફાયદો પણ નથી થતો. જો વજનમાં ઘટાડો જ type 2 ડાયાબિટીસ દૂર કરવાની ચાવી છે, તો દવાઓથી વસ્તુ સુધરવાની નથી. દવાઓથી બ્લડ સુગર સુધરે છે, પણ ડાયાબિટીસ નહિ.
આપણે બહાનું કરી શકીએ છીએ કે બિમારી સારી છે, પણ તે સાચું નથી. આ જ કારણ છે કે ઘણા ડોક્ટરો સમજે છે કે type 2 ડાયાબિટીસ લાંબા સમય સુધી રહેનારી અને પ્રગતિશીલ બિમારી છે. આપણે ખોટા ઉપચારનો ઉપયોગ કરી રહ્યાં છીએ. આપણને એક આહાર રોગ માટેની દવાઓ આપવામાં આવી રહી છે. કોઈ આશ્ચર્ય નથી કે તે કામ કરતું નથી.
તો, તમે તમારી ડાયાબિટીસને કઈ રીતે દૂર કરશો?

Type 2 ડાયાબિટીસ અને પૂર્વ-ડાયાબિટીસની આવશ્યક વિશેષતા એમ છે કે આપણું શરીર પૂરી રીતે સુગરથી ભરેલું છે. ફક્ત લોહીમાં જ વધારે પડતી સુગર છે એવું નથી. આખા શરીરમાં સુગરનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે. આપણા શરીર ખાંડનો વાટકો છે એવી કલ્પના કરો. ખાંડનો વાટકો. જયારે આપણે યુવાન હોઈએ છીએ, આપણો ખાંડનો વાટકો ખાલી હોય છે.
દાયકાઓથી વધુ સમયથી, આપણે ઘણી બધી ખોટી વસ્તુઓ ખાઈએ છીએ – ખાંડવાળા ધાન, મિઠાઈઓ, વ્હાઈટ બ્રેડ. સુગર બાઉલ ત્યાં સુધી સુગરથી ભરાતો રહે છે જ્યાં સુધી તે પૂરો ના ભરાઈ જાય. હવે બીજી વાર જ્યારે તમે ખાવો છો, સુગર તમારા શરીરમાં આવે છે, પણ બાઉલ ભરાઈ ચૂકેલ છે. તે લોહીમાં ફેલાવા લાગે છે.
જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે ઇન્સુલિન નામનો એક સામાન્ય હાર્મોન બને છે. તેનું કામ કોશિકાઓમાં ગ્લુકોઝ ભરવાનું છે. જ્યારે તે લાંબા સમય સુધી કરવામાં અસક્ષમ રહે છે, લોહીમાં કોશિકાની બહાર ગ્લુકોઝનો ઢગલો થઇ જાય છે, અને તેને ઇન્સુલિન પ્રતિકાર કહે છે. પણ આમ કેમ બને છે? કોશિકાઓ તો પહેલેથી જ ગ્લુકોઝથી વધારે પડતી ભરેલી છે (ડૉ ફંગની અગાઉની પોસ્ટ જુઓ – A New Paradigm, અને Insulin Resistance is Good?). આ એક વધારે હવા ભરેલ ફુગ્ગામાં હવા ભરવા જેવું છે, આમાં ફક્ત વધારે બળનો ઉપયોગ થાય છે. કોશિકા ગ્લુકોઝનો પ્રતિકાર કરે છે કારણ કે તે પૂરી રીતે ભરાઈ ચૂકેલ છે. ઇન્સુલિન પ્રતિકાર એક ઓવરફ્લો ઘટના છે.
વાત આ પ્રમાણે છે. જો તમે તમારા બ્લડ સુગરને એક સ્તર પર રાખવા માટે વધુ ને વધુ પડતી દવાઓ લો છો, તમારી ડાયાબિટીસની સ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે! ભલે પછી તમારું બ્લડ સુગર સારું બને, તમારી ડાયાબિટીસની સ્થિતિ વધારે પડતી ખરાબ થઇ જાય છે. કમનસીબે વાસ્તવમાં દરેક દર્દી સાથે આવું બને છે. શરીર સુગરથી પૂરી રીતે ભરાઈ ચુક્યું છે. દવાઓથી બ્લડ સુગર માત્ર સંતાઈ જાય છે અને તેને શરીરના કોઈક ભાગમાં સંતાડી દે છે.
શરીરમાં સુગરનું પ્રમાણ વધી ગયું છે. દવાઓથી બ્લડ સુગર માત્ર સંતાઈ જાય છે અને તેને શરીરના કોઈક ભાગમાં સંતાડી દે છે. ડાયાબિટીસમાં સુધારો દેખાય છે, કારણ તમે ફક્ત બ્લડ સુગર જ જોઈ શકો છો. ડોક્ટરો ખોટા ભ્રમમાં પાડીને પોતાની પીઠ થપથપાવે છે કે કામ સારી રીતે થયું, ભલે ને પછી દર્દી વધારે કમજોર પડી જાય છે. દર્દીઓને ક્યારેય દવાઓની વધતી જતી માત્રાની જરૂર નથી અને તેમ છતાં હાર્ટ એટેક, હ્રદયની નિષ્ફળતા, સ્ટ્રોક્સ, કીડનીની બિમારી, અંગવિચ્છેદન અને અંધત્વનો સામનો કરે છે.
ડોક્ટર પોતેજ કહે છે, "ભલે, ઠીક છે. આ એક જૂની અને વધતો જતો રોગ છે."
સમયની સાથે શું થાય છે - 10, 20 વર્ષ?                                                 
શરીરના દરેક અંગ સડવા લાગે છે. એટલા માટે બીજા રોગોથી અલગ, type 2 ડાયાબિટીસની અસર શરીરના બધા ભાગો પર થાય છે. તમારી આંખો ખરાબ થઇ જાય છે - અને તમે અંધ થઇ જાઓ છો. તમારી કિડની ખરાબ થઇ જાય છે - અને તમને ડાયાલિસિસની જરૂર પડે છે. તમારું હૃદય ખરાબ થઇ જાય છે - અને તમને હાર્ટ એટેક અને હૃદય કામ કરવાનું બંદ થઇ જાય છે. તમારું લીવર ખરાબ થઇ જાય છે - અને તમને ફેટી લીવર રોગ થઇ જાય છે. તમારા પગમાં ખરાબી થાય છે - અને તમને ડાયાબિટિક ફૂટ અલસર થાય છે. તમારી નસો ખરાબ થઇ જાય છે - અને તમને ડાયાબિટિક ન્યૂરોપેથી થઇ જાય છે. દવાઓ અને ઇન્સુલિન આ અંગોને ખરાબ થતા અટકાવી નથી શકતા, કારણ કે તે આપણા શરીરમાંથી ઝેરી સુગરની માત્રાનો નાશ નથી કરી શકતા. અમે આ પ્રતિકૂળ હકીકત વિશે 2008 થી જ જાણી ચૂક્યા છીએ. ઓછામાં ઓછું સાત વખત બહુરાષ્ટ્રીય, બહુ-કેન્દ્ર, દવાઓ (ACCORD,ADVANCE, VADT,ORIGIN, TECOS, ELIXA, SAVOR) ની સાથે ટાઈટ બ્લડ ગ્લુકોઝ નિયંત્રણના અલગ-અલગ નિયંત્રિત પરીક્ષણ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટું મૃત્યુનું કારણ, હૃદય રોગને ઘટાડવામાં નિષ્ફળ નીવડયા. અમે ઘણીવાર માન્યું છે કે ઓછા બ્લડ સુગરની દવાઓ લોકોને સ્વસ્થ બનાવે છે.
પરંતુ આ એક રીતે જુઠું જ સાબિત થયું છે. આહાર સંબંધિત રોગના ઈલાજ માટે તમે દવાઓનો ઉપયોગ નથી કરી શકતા.
શરીરમાં જરૂરિયાતથી વધારે સુગરને દૂર કરવા માટે માત્ર બે જ રસ્તા છે. સૌથી શ્રેષ્ઠ રસ્તો? આ એક સ્વાભાવિક અને પૂર્ણ રૂપે મફત છે. કોઈ દવા નહિ. કોઈ સર્જરી નહિ. કોઈ કિંમત નહિ.
ચરણ 1 – સુગર ખાશો નહિ
                       પ્રથમ ચરણ પોતાના આહારમાંથી સુગર અને શુદ્ધ સ્ટાર્ચને હટાવવાનો છે. સુગરમાં કોઈ પોષણ વિષયક તત્વ નથી હોતા એટલા માટે, આપ તેને હટાવી શકો છો. સ્ટાર્ચ સુગરની લાંબી સાંકળ હોય છે. એકદમ શુદ્ધ સ્ટાર્ચ જેમ કે લોટ અથવા સફેદ ભાત પાચન સમયે જલ્દીથી નાના ટુકડાઓમાં તૂટીને ગ્લુકોઝ બની જાય છે. આને લોહી તરત જ શોષી લે છે અને બ્લડ સુગર વધી જાય છે. ઉદાહરણ તરીકે, સફેદ બ્રેડ ખાવાથી બ્લડ સુગર ખુબ જ જલ્દીથી વધી જાય છે. શું આ આપમેળે સમજાતું નથી કે આપણે એવું ભોજન ના કરવું જોઈએ જે બ્લડ સુગર વધારી દે છે કારણ કે શરીર તેને શોષી લે છે? આદર્શ નીતિ આ પ્રમાણે છે કે શુદ્ધ કાર્બોહાઈડ્રેટ કાં તો ખાશો નહિ કાં તો થોડા પ્રમાણમાં ખાવો.           શરીર ઘણા બધા પ્રોટીનને ગ્લુકોઝમાં પરિવર્તિત કરે છે. તેથી, તમારે વધારે પડતા પ્રોટીન ખાવાથી બચવું જોઈએ કારણ કે આ પણ શરીરમાં સુગરને વધારે છે. આહાર ચરબી, જેનો પ્રભાવ હૃદય રોગ પર પડતો હોવાથી તેને દૂર રાખવામાં આવી છે, તે ફરીથી લેવામાં આવી છે. પ્રાકૃતિક ચરબી, જેવી કે એવોકાડો, સૂકામેવા અને ઓલિવ તેલમાં જોવા મળે છે, આનો પ્રભાવ હૃદય રોગ અને ડાયાબિટીસ બંને પર સારો પડે છે, આ ઘણા પ્રચલિત છે. ભૂમધ્ય ખોરાક, જેમાં પ્રાકૃતિક ચરબી વધારે હોય, તેને સ્વસ્થ ખોરાક તરીકે સ્વીકારમાં આવ્યો છે. ખોરાક કોલેસ્ટ્રોલનો પણ માનવ શરીર કોઈ ખરાબ પ્રભાવ નથી પડતો. ઈંડા અને માખણ ખાઈ શકો છો.
સૌથી મહત્વપૂર્ણ છે, આખું, પ્રાકૃતિક, અને રાંધ્યા વિનાનું ભોજન કરો.
ચરણ 2 – તેને બાળી દો :ઉર્જા માટે ઉપવાસ કરવા સુગરને બાળી નાખવાનો સૌથી સરળ, સૌથી ઝડપી રસ્તો છે. શરીર માટે લોહીમાં ગ્લુકોઝ ઉર્જાનો સૌથી સરળ સ્રોત છે. ઉપવાસ ખાવાની માત્ર ઊલટી રીત છે. જ્યારે તમે ખાવો છો, તમારા શરીરમાં ભોજનની ઉર્જા જમા થાય છે. જ્યારે તમે ઉપવાસ કરો છો, તમારા શરીરમાં ભોજનની ઉર્જા નાશ પામે છે. જો તમે ઉપવાસની અવધિને વધારો છો તો તમે જમા સુગરને ઓછી કરી શકો છો. જો કે આ કઠીન લાગે છે, પણ ઉપવાસ 2000 વર્ષ જૂની પદ્ધતિ છે. આ આહારની સૌથી જૂની થેરાપી છે. આપણે ફક્ત આપણા શરીરને સુધારના રસ્તા પર આગળ વધારવાની જરૂર છે અને કઠિનાઈથી જીતેલ જ્ઞાનને લાગુ કરવાની હિંમત જોઈએ.


        અધ્યાય 7
ડૉ. મિશેલ મેગી, M.D. વિશે :
1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ

 ડૉ. મિશેલ મેગી, M.D.
સરનામું :   110 Irving Street NW,
                                         East Building Room 4114
                                         Washington, DC 20010
ફોન નંબર :     (202) 877-2383
વેબસાઈટ :    www.medstarhealth.org
વેબસાઈટ લિંક :     https://www.medstarhealth.org/doctor/dr-michelle-magee-md/#q={}

  
અભ્યાસ :   
વિદ્યાર્થી:   ફેલોશિપ પ્રોગ્રામ: જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી હોસ્પિટલ (1987). ઇન્ટર્નશિપ પ્રોગ્રામ: જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી હોસ્પિટલ (1983). મેડિકલ સ્કૂલ: રોયલ કોલેજ ઓફ સર્જન્સ આયર્લેન્ડમાં (1982). રેસિડેન્સી પ્રોગ્રામ: જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી હોસ્પિટલ (1985)
ખાસિયત: એન્ડોક્રિનોલોજી, ડાયાબિટીસ અને મેટાબોલિઝમ (પ્રાથમિક); 1987 માં પ્રમાણિત. મુખ્ય ક્લિનિકલ ક્ષેત્ર:  થાઇરોઇડ રોગો, ડાયાબિટીસ, એન્ડોક્રિનોલોજી
પ્રદાતા વિશે
મિશેલ મેગી, MD, મેડસ્ટાર ડાયાબિટીસ ઇન્સ્ટિટ્યુટની ડાયરેક્ટર છે અને જ્યોર્જટાઉન સ્કૂલ ઓફ મેડિસિનમાં મેડિસિનના એક સહ-પ્રાધ્યાપક છે. ડૉ. મેગી એક ક્લિનિકલ, સંશોધક અને શિક્ષક છે. મિશેલ મેગી, MD, સમજાવે છે કે કેમ તમામ પેઢીઓમાં type-2 ડાયાબિટીસ વધી રહી છે, આનુવંશિક પરિબળો રોગને ઘેરી લે છે, અને જીવનશૈલીના પરિબળોનો ઉપયોગ તમે તમારા બ્લડ સુગરમાં નિયંત્રણ મેળવવા માટે કરી શકો છો. ડૉ. મેગી આ પણ કહે છે કે ક્યારે તમારે ઇન્સુલિન થેરાપીનો વિચાર કરવો જોઈએ, સાથે જ ઇન્સુલિન વિતરણ પદ્ધતિઓમાં નવી દવાઓ અને પ્રગતિનો વિચાર કરવો જોઈએ.                                                                                                                                                                      

  • મિશેલ મેગી, MD, મેડસ્ટાર હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, મેડસ્ટાર વોશિંગ્ટન હોસ્પિટલ સેન્ટર (NWHC)માં એક એન્ડોક્રિનોલોજિસ્ટ છે અને વોશિંગ્ટન, ડી.સી. માં સ્થિત જ્યોર્જટાઉન યુનિવર્સીટી સ્કૂલ ઓફ મેડિસિનમાં મેડિસિનના એક સહ-પ્રાધ્યાપક છે. તેણીની મેડસ્ટાર ડાયાબિટીસ ઇન્સ્ટિટ્યુટ (MDI) ના ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવે છે. આ ક્ષમતામાં, તેણીની ડાયાબિટીસ ક્લિનિકલ, શૈક્ષણિક અને રિસર્ચ પ્રોગ્રામો ચલાવે છે અને સપોર્ટ કરે છે, જેમાં ડાયાબિટીસના બહારના દર્દીઓ અને સમગ્ર મેડસ્ટાર હેલ્થમાં હોસ્પિટલની સેવાઓ અને સમુદાયમાં ડાયાબિટીસ શિક્ષણ પ્રોગ્રામનો સમાવેશ છે. ડૉ. મેગીની સામાજિક સેવાનો ધ્યેય નીચલા વર્ગો અને સંવેદનશીલ લોકો પર રહે છે.

ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. મિશેલ મેગી નો કાર્યક્રમ :

         અમારા મોટાભાગના દર્દીઓએ એકાદ ડોક્ટરના મોઢેથી તો સાંભળ્યું જ છે કે ડાયાબિટીસની સ્થિતિ બહુ જૂની અને અધોગતિ તરફની છે જે દિવસેને દિવસે બગડતી જાય છે, સારી નથી થતી. જેટલા લાંબા સમય સુધી તમને ડાયાબિટીસ રહે છે, તેટલી વધારે તકલીફો તમને વેઠવી પડે છે અને આ "જો" તમને તકલીફ થાય છે તેની બાબત નથી, આ બાબત છે "ક્યારે" ની.
તમારા ડોક્ટરે તમને એવું કેમ કહ્યું? કારણ કે તે સાચું છે. જો તમે ADA દ્વારા નિર્ધારિત પ્રમાણભૂત સલાહઓનું પાલન કરશો અને વધુ સારા હેતુ વાળું પણ ખોટા જાણકાર ડોક્ટરોનું પાલન કરો છો, તો તદ્દન આવું જ થશે. જો તમે ડાયાબિટીસના સાચા કારણોને અવગણશો, અને તમારા આહાર તથા જીવનશૈલીમાં જરૂરી બદલાવ કર્યા વગર ફક્ત લક્ષણોનો માત્ર દવાથી ઈલાજ કરશો, તો આગળ જતા તમારી પરિસ્થિતિ વધારે બગડતી જશે, સારી નહિ થાય. પરંતુ, આપની પાસે ફક્ત આ જ વિકલ્પ નથી.
તમે કંઇક અલગ કરવાનો નિર્ણય કરી શકો છો. તમારી ડાયાબિટીસ તમારા જીવન પર અધિકાર જતાવે અને તમારું જીવન ખરાબ કરે તેને કરતા તેને નિયંત્રિત કરી અને તમારી જિંદગી બગાડ્યા કરતા તમે તમારી પરિસ્થિતિનો સામનો કરીને તેની પર કાબૂ મેળવી શકો છો. તમે તમારી પરિસ્થિતિના મૂળ કારણ સુધી પહોંચી શકો છો અને આગળ જતા બગડતી હકીકતમાં પરિસ્થિતિને સુધારી શકો છો. તમામ શક્યતામાં, તમે ડાયાબિટીસના જટિલતાઓને ટાળી શકો છો.   
ગયા વર્ષે, સારી રીતે સમ્માનિત મેડિકલ જર્નલ ડાયાબિટોલોજિયામાં એક વિશિષ્ટ નવા અભ્યાસનો પ્રસંગ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, તેમાં દર્શાવ્યું કે છે હકીકતમાં type 2 ડાયાબિટીસ દૂર થઇ શકે છે. તેઓએ દર્દીઓના એક સમૂહને આઠ અઠવાડિયાના એક વિશિષ્ટ આહાર યોજના પર મૂક્યું અને જોયું કે આ દર્દીઓની પરિસ્થિતિ વાસ્તવમાં સુધરી. તેઓનું બ્લડ સુગર નીચે આવ્યું, તેઓનું વજન ઓછું થયું, તેઓના HgA1c અંકમાં યથાર્થ રૂપે સુધારો થયો. તેમાંના ઘણા દવા બંદ કરી શકે તેમ હતા. સંશોધકોએ ચર્ચા કરી કે કેટલાક દર્દીઓમાં સ્વાદપિંડ, ઇન્સુલિન બનાવનારી બીટા કેશિકા ફરીથી ઉત્પન્ન થઇ ગઈ અને વધારે સારી રીતે કામ કરવા લાગી.
ડોક્ટરોને આ વિશે કેમ જાણ નથી? તેઓ કરે છે. તેમાંના કેટલાક આમ કરે છે. એમ્બર ટેલર, MD, એક એન્ડોક્રિનોલોજિસ્ટ જેઓ ડાયાબિટીસના દર્દીઓની કાળજી રાખે છે, તેઓ કહે છે, "ડાયાબિટીસના પ્રારંભિક ચરણવાળાઓ માટે ડાયાબિટીસ દૂર કરવી એ શક્ય છે". તેઓએ બોલવાનું ચાલુ રાખ્યું, "અમારી પાસે સારા એવા પુરાવા છે, કે જીવનશૈલીમાં બદલાવ એ મૂળ ચાવી છે." જીવનશૈલીમાં બદલાવ એ ડાયાબિટીસ દૂર કરવા અને રોકવા માટે બજારમાં ઉપસ્થિત ગમે તેવી દવા કરતા શ્રેષ્ઠ છે."
એક CNN રિપોર્ટમાં, મિશેલ મેગી, MD, વોશિંગ્ટનની મેડસ્ટાર ડાયાબિટીસ ઇન્સ્ટિટ્યુટની ડાયરેક્ટરે કહ્યું, "અમે એવા ઘણા લોકોને જોયા જેમણે તેની પરિસ્થિતિ દૂર કરી, પણ તે તેઓના બાકીના જીવન માટે એક વાસ્તવિક સમર્પણ લે છે"
અહિયાં સુધી કે જૂન 2012માં રૂઢિચુસ્ત "ડાયાબિટીસ સેલ્ફ-મેનેજમેન્ટ" મેગેઝીને એક લેખ પ્રકાશિત કર્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે type 2 ડાયાબિટીસ કેવી રીતે દૂર થઇ શકે છે. તેઓએ ડાયાબિટીસ દૂર કરવાની પાંચ અલગ અલગ રીતો જણાવી અને દરેક રીતોના ઉદાહરણ માટે દર્દીઓની આપબીતી પણ શેર કરી. આ બધી રીતોમાં સામાન્ય શું હતું? સઘન આહાર અને જીવનશૈલીમાં બદલાવ.



દુર્ભાગ્યવશ, અભ્યાસમાં, તે એક અલગ વાર્તા લાગે છે. ડોક્ટર દર્દીઓ સાથે સમય વિતાવવા અને તેઓને વાસ્તવિક ખોરાક અને જીવનશૈલીમાં બદલાવ માટે પ્રોત્સાહિત કરવાને બદલે દર્દીઓને જલ્દીથી અંદર બોલાવવા અને જલ્દીથી બહાર મોકલવા ઈચ્છે છે. આજના કોર્પોરેટ, વીમા આધારિત મેડિકલ સિસ્ટમમાં, દર્દીઓની સંખ્યા તેઓની સારસંભાળની ગુણવત્તા અને તેઓને સમજાવવા અને ઉત્સાહિત કરવા માટે તેઓની સાથે સમય વિતાવવા પર ભારે પડી રહી છે.
પરંપરાગત પ્રાથમિક સંભાળ અથવા એન્ડોક્રિનોલોજી અભ્યાસ પાસે, તેઓના દર્દીઓની ડાયાબિટીસ દૂર કરવા જીવનશૈલીમાં જરૂરી બદલાવ કરવા માટે કલાકો, અઠવાડિયા, અને મહિના સુધી કોચિંગ, શિક્ષણ, દેખરેખ, અને પ્રોત્સાહન આપવા માટે જરૂરી ઉપકરણોની ઊણપ છે. જ્યારે સામનો કર્યો, ઘણાં ડોક્ટરોને લાગે છે કે તેઓની પાસે સમય હતો તો પણ, દર્દીઓ કોઈપણ રીતે પાલન નહિ કરે. સ્વીટલાઈફ™ ડાયાબીટીસ હેલ્થ સેન્ટર્સમાં, અમે વસ્તુઓ અલગ રીતે કરીએ છીએ. અમારા દર્દીઓની અનન્ય પરિસ્થિતિને સમજવા માટે અમે સમય લઈએ છીએ. અમારી તબીબી ટીમ એક ખાસ પરીક્ષણ (DPLEX™) કરશે અને વ્યાપક પ્રયોગશાળા પરીક્ષણોની વ્યવસ્થા કરશે જે મોટાભાગની પરંપરાગત રીતો કરતા તદ્દન અલગ હોઈ શકે છે. અમે એક કાર્યક્રમ બનાવીએ છીએ જે દર્દીને માફક આવે અને સફળતાની ખાતરી કરવા માટે અમે તેઓને સુધારા અને યોજનાનો અમલ એક અઠવાડિયા સુધી અહીં અને એક અઠવાડિયા સુધી બહાર કરવા માટે મદદ કરીએ છીએ. અમે સમાન-વિચારસરણીવાળાનો એક સમુદાય, સહાયક ડોક્ટરો, નર્સ, અને શિક્ષકો સાથે જ તમને પ્રોત્સાહન આપવા માટે અદ્યતન સાથી-સહાય પૂરી પાડીએ છીએ.

વેબસાઈટ લિંક: http://www.sweetlifecenters.com/reversible/        

                                          અધ્યાય 8
ડૉ. જે મૂરે હોકિન્ગ્સ વિશે :

1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ


ડૉ. જે મૂરે હોકિન્ગ્સ, D.C.,D.PSc.
સરનામું :     Dr. J. Murray Hockings, D.C.
                                          5050 Quorum Drive, Suite 700
                                          Dallas, Texas 75254.
ફોન નંબર :     (800) 321-9054
ઈમેલ :     DrHockings@HelpYourDiabetes.com
વેબસાઈટ :     www.HelpYourDiabetes.com

અભ્યાસ :   
  • વિદ્યાર્થી:        
          મેકમાસ્ટર યુનિવર્સિટી, હેમિલ્ટન, ઑન્ટારીયો, કેનેડા - સાયન્સ મેજર 1983-84 બ્રોક યુનિવર્સિટી, સેન્ટ કેથેરિન્સ, ઑન્ટારીયો, કેનેડા - સાયન્સ મેજર 1984-85 નાયગ્રા કોલેજ, વેલૅન્ડ, ઓન્ટારીયો, કેનેડા - સાયન્સ મેજર 1985 બ્રેનૌ કોલેજ, મેરિયેટા, જ્યોર્જિયા - સાયન્સ મેજર 1986 લાઇફ યુનિવર્સિટી, મેરિયેટા, જ્યોર્જિયા - ડોકટર ઓફ કાઈરોપ્રેક્ટિક પ્રોગ્રામ 1986-90 (પૂર્વ લાઇફ કાઈરોપ્રેક્ટિક કોલેજ) - નીચેના વિસ્તારો પર વ્યાપક ધ્યાન: ફંકશનલ એન્ડોક્રીનોલોજી, ક્લિનિકલ ન્યુટ્રીશન, એમ્બ્રિઓલોજી, બાયોકેમિસ્ટ્રી, એનાટોમી, ફિઝિયોલોજી, હિસ્ટોલોજી, ઑસ્ટોલોજી, બેકટેરિઓલોજી, વાયરોલોજી, પેથોલોજી, રેડિયોલોજી, પેરાસિટોલોજી, માયકોલોજી, ઇમ્યુનોલોજી, ઓર્થોપેડિક ડાયગ્નોસિસ, ક્લિનિકલ ડાયગ્નોસિસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, પેરીફેરલ નર્વસ સિસ્ટમ, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, ન્યુરોડાયગ્નોસિસ, ગેસ્ટ્રો-ઇનટેસ્ટીનલ, જેનિટો-યુરિનરી, ટોક્સિકોલોજી, જેરિયાટ્રિક્સ, ક્લિનિકલ સાયકોલૉજી, ઈન્ટિગ્રેટેડ ડાયગ્નોસિસ અને કાઈરોપ્રેક્ટિક કરિકુલમના ડોક્ટર માટે એડવાન્સ્ડ વેલનેસ લિંક.

  • ડિગ્રી/ લાયસન્સ/ પ્રમાણપત્રો :

ડોક્ટર ઓફ કાઈરોપ્રેક્ટિક ડિગ્રી (ડી.સી.) 1990 બોર્ડ પ્રમાણિત ~ નેશનલ કાઈરોપ્રેક્ટિક બોર્ડ 1990 સ્ટેટ ઓફ કેલિફોર્નિયા ડોક્ટર ઓફ કાઈરોપ્રેક્ટિક લાઇસન્સ 1992.
કાર્ય અનુભવ :
એસોસિયેટ કાઇરોપ્રેક્ટર - ડિઝર્ટ કાઈરોપ્રેક્ટિક, પામ ડેઝર્ટ, કેલિફોર્નિયા 1991-1992 ઓનર - 5 હેલ્થ કેર ઓફિસ (ઇન્ડિયન વેલ્સ, CA; કેથેડ્રલ સિટી, CA; બ્રોલી, CA; લા ક્વિન્ટા, CA; અર્વાઈન, CA) 1992-2012 સ્થાપક/સી.ઈ.ઓ. - હેલ્પ યોર ડાયાબિટીસ, ડલાસ, ટેક્સાસ 2010-વર્તમાન લેખક – 5 પુસ્તકો લખ્યા 1997-જાહેર પ્રવક્તા – 1991 થી અત્યાર સુધીમાં છેલ્લાં 26 વર્ષોમાં ડાયાબિટીસ, આરોગ્ય, સુખાકારી, થાઇરોઇડ રોગ, હૃદય રોગ અને પોષણ ને લગતા 1,000 કરતા વધારે વ્યાખ્યાનો/સેમિનારો યોજ્યા છે.
ક્લિનિકલ અનુભવ :     
26 વર્ષનો અનુભવ; અત્યાર સુધી 20,000 કરતા પણ વધારે દર્દીઓની તપાસ કરી છે જેઓની સ્થિતિ આ મુજબની હતી; ડાયાબિટીસ, હાઇપોથાઇરોઈડ, હ્રદય રોગ, પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો, માથાનો દુઃખાવો, હર્નિએટેડ ડિસ્ક, સંધિવા, ફાઈબ્રોમીઆલ્ગીઆ, હાથનો દુખાવો, પગનો દુખાવો, કાર્પલ ટનલ સિન્ડ્રોમ.
સભ્યતા :
અમેરિકન હોલિસ્ટિક મેડિકલ એસોસિયેશન અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (ADA)

પોસ્ટ ડોક્ટરેટ તાલીમ :
ફંકશનલ એન્ડ્રોક્રિનોલોજી - ડૉ. ડેટિસ ખારજિયાન, DHSc, DC, MS, MNeuroSci, FAACP, DACBN, DABCN, DIBAK, CNS ફંકશનલ બ્લડ કેમિસ્ટ્રી એનાલિસિસ – ડૉ. ડેટિસ ખારજિઝિયન, ફંકશનલ એન્ડ્રોકિનોલોજીમાં DHSc, DC, MS, MNeuroSci, FAACP, DACBN, DABCN, DIBAK, CNS, કેસ સ્ટડીઝ એન્ડ પ્રિન્સિપલ્સ – ડો. ડેટિસ ખારજિયાન, DHSc, DC, MS, MNeuroSci, FAACP, DACBN, DABCN, DIBAK, CNS ન્યુરોટ્રાન્સમીટર્સ અને મગજ – ડૉ. ડેટિસ ખારજિયાન, DHSc, DC, MS, MNeuroSci, FAACP, DACBN, DABCN, DIBAK, CNS ફંક્શનલ બ્લડ કેમિસ્ટ્રી એનાલિસિસ – ડો. ડેટિસ ખારજિયાન, DHSc, DC, MS, MNeuroSci, FAACP, DACBN, DABCN, DIBAK, CNS.

પુસ્તકો (Amazon.com પર ઉપલબ્ધ છે) :

  • Type 2 ડાયાબિટીસ વિનાના જીવનની કલ્પના કરો
  • તમારા ડોક્ટરને છોડી દો


ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. જે મૂરે હોકિન્ગ્સ નો કાર્યક્રમ :

પરિચય : નેશનલ ડાયાબિટીસ એજ્યુકેશન પ્રોગ્રામ અનુસાર, "ડાયાબિટીસથી ગંભીર જટિલતા અને અકાળ મૃત્યુ થઇ શકે છે, પણ ડાયાબિટીસવાળા લોકો તેને નિયંત્રિત કરવાના પગલાં ઉઠાવી શકે છે અને જટિલતાના જોખમને ઓછું કરી શકે છે." WebMD પ્રમાણે, એક અતિ જાણકાર વેબસાઈટ, "Type 2 ડાયાબિટીસ એક વધતી સામાન્ય મેટાબોલિક અવ્યવસ્થા છે જેમાં શરીર ઇન્સુલિન, સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થતો એક એવો હોર્મોન છે જે ગ્લુકોઝને કોશિકાઓમાં પ્રવેશવા દે છે અને શરીરને તેનો ઉર્જાનો મુખ્ય સ્રોત પૂરો પાડે છે, નો ઉપયોગ કરતું નથી."

વધારે સમય સુધી, જો Type 2 ડાયાબિટીસ પર યોગ્ય રીતે ધ્યાન ન આપવામાં આવે તો, તેમાંથી બ્લડ પ્રેશર, હાર્ટ, ચેતાતંતુઓ, આંખો, અને કિડની જેવી ગંભીર બિમારી થઇ શકે છે. જ્યાં સુધી દર્દી આવી ભયંકર બિમારીઓને દૂર કરતાં ના શીખી જાય, આ તમામ બિમારીઓ અતિ ભયજનક અને જીવનમાં ફેરફાર કરવાવાળી છે.

સામાન્ય માન્યતાથી વિપરીત, આહાર અને જીવનશૈલીમાં ફેરફારથી રોગો દૂર થઇ શકે છે. યોગ્ય આહાર અને જીવનશૈલીમાં ફેરફારથી ડાયાબિટીસ દૂર થાય છે.

હેલ્પ યોર ડાયાબિટીસ, અથવા સામાન્ય રીતે HYD તરીકે ઓળખવામાં આવે છે, એ એક એવી કંપની છે જેના તમામ પ્રયત્નોનો ઉદ્દેશય type 2 ડાયાબિટીસને દૂર કરવાનો પ્રયત્ન કરવો, તેના દર્દીઓને દવાઓથી છુટકારો આપવો, અને તેઓના ચયાપચયને સ્થિર કરવાનો છે.
ઉદ્દેશ્ય : આ અભ્યાસનો ઉદ્દેશ્ય HYD પ્રોગ્રામ દ્વારા Type 2 ડાયાબિટીસમાં સુધારો દર્શાવવાનો છે. સુધારાનું પરિમાણ દર્દીની ડાયાબિટીસની દવાઓમાં ઘટાડો થવા અને વજન ઘટવાથી જાણ થશે જેનાથી મેટાબોલિક સફળતા થાય. અમે આ અભ્યાસમાં આ પ્રોગ્રામની સફળતાનો આધાર આને પણ માનીએ છીએ કે જો દર્દીની બ્લડ પ્રેશરની દવાઓ ઓછી અથવા સમાપ્ત થાય છે કારણ કે ઉચ્ચ બ્લડ પ્રેશર Type 2 ડાયાબિટીસ સાથે ઘણી નિકટતાથી જોડાયેલ છે.
કંપની અને CEO પૃષ્ઠભૂમિ : ડૉ. જે. મૂરે હોકિન્ગ્સ HYD ના સંસ્થાપક અને CEO છે. જયારે ડૉ. હોકિન્ગ્સ 18 વર્ષના યુવાન હતા ત્યારે તેઓ ડાયાબિટીસથી અસરગ્રસ્ત થયા જયારે તેમની આંટી લીલી ડાયાબિટીસને કારણે મૃત્યુ પામી હતી. તેઓએ જોયું કે તેઓના બે નાના-નાના પિતરાઈ ભાઈઓને ડાયાબિટીસને કારણે મા વિના રહેવું પડ્યું, ત્યારથી તેઓએ પોતાના જીવનને Type 2 ડાયાબિટીસને દૂર કરવા અને દવાઓથી છૂટવા માટે સમર્પિત કરી દીધું. ડૉ. હોકિન્ગ્સ ફંકશનલ એન્ડ્રોક્રિનોલોજી, ક્લિનિકલ ન્યુટ્રીશન, એનાટોમી, ફિઝિયોલોજી, અને બીજા ઘણામાં નિષ્ણાંત છે. ડૉ. હોકિન્ગ્સે પોતાની કારકિર્દીને Type 2 ડાયાબિટીસ માટે સમર્પિત કરી દીધી છે જેમાં તેઓએ 17,000 દર્દીઓની તપાસ કરી છે અને જ્યારે દર્દીઓએ આ પ્રોગ્રામનું પાલન કર્યું ત્યારે તેઓના બ્લડ સુગરમાં ઘટાડાને લઈને તેઓનો સફળતાનો દર 100% રહ્યો છે. ડૉ. હોકિન્ગ્સે આ પ્રોગ્રામને આ ઉદ્દેશ્યની સાથે બનાવ્યો છે કે Type 2 ડાયાબિટીસની દવાઓથી છુટકારો મળી શકે કારણ કે તેઓ દર્દીઓને લાંબા જીવનમાં તકલીફ આપે છે.
દર્દીની માહિતી :  જેવું કે અગાઉ જણાવવામાં આવ્યું છે, ડૉ. હોકિન્ગ્સે પોતાની કારકિર્દીમાં 17,000 થી પણ વધુ દર્દીઓની તપાસ કરી છે. પણ અમે HYD પ્રોગ્રામમાં આ અભ્યાસને માત્ર 30 હાલના જ દર્દીઓ સુધી સીમિત કર્યો છે. આ પ્રોગ્રામના તમામ દર્દીઓએ એક શૈક્ષણિક સેમિનારમાં હાજરી આપી છે જેમાં ડૉ. હોકિન્ગ્સ તેઓને જણાવે છે કે લાંબા સમય સુધી Type 2 ડાયાબિટીસની દવાઓ લેવાના કયા ખરાબ પરિણામો આવે છે. આ ધ્યાન આપવું જરૂરી છે કે કોઈપણ બે શરીર એક જેવા નથી હોતા અને દરેક વ્યક્તિનું દિમાગ અલગ પ્રકારનું હોય છે, આ વિભિન્નતાઓની કાળજી રાખ્યા વિના દર્દીઓએ આમ જાણ્યું કે તેઓમાં HYD પ્રોગ્રામમાં સંમિલિત થવા માટે બે પ્રકારની લાયકાત હોવી જોઈએ. તે બે લાયકાતો નીચે પ્રમાણે છે: 1) દર્દીના પ્રાથમિક ડોક્ટર અનુસાર તેને Type 2 ડાયાબિટીસ છે અને 2) દર્દી વર્તમાનમાં ડાયાબિટીસની દવાઓ લે છે. આ સામાન્યતઃ જોવા મળ્યું છે કે ઘણા દર્દીઓ જે HYD પ્રોગ્રામમાં જોડાય છે તેઓ પોતાની ડાયાબિટીસ માટે અલગ દવાઓ લે છે જેમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાની દવાઓ પણ સામેલ છે પણ ફક્ત દવાઓ સુધી મર્યાદિત નથી. HYD પ્રોગ્રામમાં જોડાયા પહેલા દર્દીઓ માટે આ એકદમ સામાન્ય વાત છે કે તેઓ બિમારી અનુભવતા હોય, તેઓનું વજન વધી ગયું હોય, આહારને લઈને કોઈ બીજી આરોગ્યને લગતી તકલીફો અનુભવતા હોય અને જ્યારે પ્રશ્ન તેઓની ઉર્જા સ્તરના હોય તો તેઓ પોતાની જાતને સુસ્ત અનુભવતા હોય. ઘણા દર્દીઓને ન્યુરોપેથી, તેઓની નસો અને ચાલવામાં પણ તકલીફ પડે છે. આ અભ્યાસના તમામ દર્દીઓની A1C 6.0-12.5 ની વચ્ચે છે. 30 દર્દીઓના અભ્યાસના આધાર પર ડાયાબિટીસના દર્દી સરેરાસ 6-8 દવાઓ લે છે, ઘણી વાર દર્દીની સ્થિતિ અનુસાર સંખ્યા વધારે પણ હોઈ શકે છે. દવાઓમાં તેઓની ડાયાબિટીસની દવાઓ, બ્લડ પ્રેશરની દવાઓ, હૃદયની દવાઓ અને કોલેસ્ટ્રોલની દવાઓનો સમાવેશ છે. દરેક દર્દીઓનો ઉદ્દેશ્ય એક જ છે, HYD પ્રોગ્રામ શરુ કરવો. પ્રથમ ઉદ્દેશ્ય તેઓ જે દવાઓ લે છે તેને ઓછી કરવાનો કે દૂર કરવાનો છે. ઘણા દર્દીઓનો ઉદ્દેશ્ય વજન ઓછો કરવાનો અને તેઓના ઉર્જાસ્તરને વધારવાનો છે. છેવટે, દર્દીના પ્રતિસાદ પ્રમાણે "વધારે પડતા દર્દીઓ બિમારી અને થાકથી કંટાળી ગયા છે." જીવનશૈલીમાં દરેક ફેરફારની સાથે, દર્દીઓ માટે આ પ્રોગ્રામમાં જોડાવા માટે થઈને પડકારો રહે છે, જે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે. ઘણા દર્દીઓને આત્મવિશ્વાસને લઈને પણ પડકારો હોય છે કે તેઓ કાર્યક્રમનું પાલન કરી શકશે કે નહિ અને આમ કે તેઓ આટલા શિસ્તબદ્ધ રહી શકશે કે નહિ. એક બીજો સામાન્ય વસ્તુ દર્દીઓ માટે પ્રમાણે હોય છે કે તેઓને પોતાની પસંદગીનું ભોજન અને કેફીન છોડવામાં મુશ્કેલી પડે છે. આ પ્રોગ્રામમાં જોડાયા પછી અમે તેઓના પડકાર અને અવરોધોને લઈને સારા પરિણામો મેળવીએ છીએ.
HYD પ્રોગ્રામ :  HYD પ્રોગ્રામ એક આહાર સંબંધિત આરોગ્ય પ્રોગ્રામ છે જે મેટાબોલિસમને સામાન્ય કરવા અને બ્લડ સુગરના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે. આ પ્રોગ્રામના ઘણા મુખ્ય ભાગ છે, આ પ્રોગ્રામ સાથે જોડાયા પછી બિમારીની ગંભીરતા મુજબ 2-6 મહિના સુધીના કાર્યક્રમ માટે તમારે તૈયાર થવું પડે છે. ઘણા દર્દીઓને ઇન્સુલિનથી છુટકારો મેળવવામાં વધારે સમય લાગે છે કારણ કે આ તેઓની રોજિંદાની આદતમાં આવી જાય છે.  આ પ્રોગ્રામને એક આહાર યોજના, કિડની અને લીવરને સ્વચ્છ કરવા, દર્દીના શરીરમાં જે વસ્તુઓની અછત છે તેને પૂરી કરવા માટે ટીમના કોઈ ડોક્ટર દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ, અને ટીમના કોઈ ડોક્ટર સાથે ફોન પર વાત કરીને અસીમિત સલાહ લેવા મુજબ તૈયાર કરવામાં આવ્યો છે.
પરિણામો : જે પણ દર્દીઓએ આ પ્રોગ્રામનું પાલન કર્યું છે તેઓની દવાઓ ઓછી થઇ છે અથવા છુટકારો મળ્યો છે, તેઓનું વજન ઓછું થયું છે કે તેઓએ વધારે ઉર્જાનો અનુભવ કર્યો છે. આ પરિણામ દરેક દર્દીની લગન અને પાલન પર નિર્ભર હોય છે. જો દર્દીમાં દૃઢતા નહોતી અને નવી જીવનશૈલીમાં ફેરફારોનો સ્વીકાર ના કરી શક્યો તો તેને એ પરિણામ મળ્યું નહિ જે બીજાને મળ્યું. 30 દર્દીઓના સરેરાશ વજનમાં ઘટાડો 20 lbs હતો. ફરીથી, કેટલાક દર્દીઓના વજનમાં ઘટાડો 20 lbs થયો અને કોઈ કોઈના 50 lbs સુધી. અધિકતમ દર્દીઓની બ્લડ પ્રેશરની દવાઓમાં ઘટાડો થયો અથવા પૂરી રીતે છૂટી ગઈ, આ પ્રમાણે જોવા મળ્યું કે Type 2 ડાયાબિટીસમાં ઉચ્ચ બ્લડ પ્રેશર કેવી રીતે નિયંત્રિત થઇ ગયું. BP ની દવાઓને ઓછી કરવા માટે, તેઓને 100-130/50-85 ની વચ્ચે રાખવાની જરૂર હતી. પરિણામોમાં આ પણ જોવા મળ્યું કે દર્દીઓની કોલેસ્ટ્રોલની દવાઓ પણ છુટી ગઈ અને જોવા મળ્યું કે આગળ તેની જરૂરિયાત રહેશે નહિ. ખાસ પરિણામો માટે મહેરબાની કરીને આ પ્રોગ્રામમાં દરેક દર્દીની સફળતા સંબંધિત ચાર્ટ જૂઓ. ચાર્ટમાં દરેક દર્દીની દવાઓને ઉદાહરણના રૂપમાં આપવામાં આવી છે અને આમ દર્શાવવામાં આવ્યું છે કે કઈ દવાઓ ઓછી થઇ કે દૂર થઇ છે. પરિણામો માટે સાથે આપવામાં આવેલ એક્સેલ શીટ જૂઓ.   
નિષ્કર્ષ : નિષ્કર્ષમાં પરિણામોથી આમ લાગે છે કે HYD પ્રોગ્રામ વડે Type 2 ડાયાબિટીસની દવાઓ ઓછી થઇ છે અને છુટકારો છે.

આ પણ સ્પષ્ટ છે કે પ્રોગ્રામ એકંદરે એક સારા આરોગ્ય અને નિરોગીપણાની તક પૂરી પાડે છે કારણ કે કેટલાય દર્દીઓનું વજન ઓછું થયું છે અને સાથે જ Type 2 ડાયાબિટીસ સાથે જોડાયેલ દવાઓ પણ દૂર થઇ છે.
HYD પ્રોગ્રામમાં જોડાયા પછી દરેક દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે, આવા સારા પરિણામો જોવા મળ્યા છે. લોકો એક જ ઉદ્દેશ્ય સાથે આ પ્રોગ્રામમાં જોડાય છે કે તેઓને તમામ પ્રકારની Type 2 ની દવાઓ ઓછી કરવી છે કે છુટકારો મેળવવો છે, પરંતુ પરિણામ આના કરતાં પણ સારા આવે છે જેની તેઓએ કલ્પના પણ નહોતી કરી. આ કાર્યક્રમ દરેક દર્દીની "જીવનશૈલીમાં ફેરફાર" પર દબાવ આપે છે, જ્યાં તેઓને વધારે સારું જીવનને પસંદ કરવાનું છે.

                                                              
અધ્યાય 9
ડૉ. વર્ન ચેરેવાતેન્કો, M.D.વિશે
1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ


ડૉ. વર્ન ચેરેવાતેન્કો, M.D.વિશે
સરનામું :    320 106th Ave Ne,Suite A
                                        Bellevue, WA 98004.
ફોન નંબર :   (206) 362-1111
વેબસાઈટ :    www.health.usnews.com
વેબસાઈટ લિંક :     http://health.usnews.com/doctors/vern-cherewatenko-630214

અભ્યાસ :  વિદ્યાર્થી: ડૉ. વર્ન ચેરેવાતેન્કો બેલેવ્યુ, વોશિંગ્ટનમાં એક પારિવારિક ડોક્ટર છે. તેઓએ પોતાની મેડિકલ ડિગ્રી યુનિવર્સીટી ઓફ વોશિંગ્ટનમાંથી મેળવી છે અને 20 વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. અભ્યાસ, મેડિકલ તાલીમ:  Valley Medical Center. Residency , Family Medicine. University of Washington School of Medicine. Medical School. સર્ટિફિકેશન,લાઇસન્સ:WA State Medical License. Active through 2016. વિશેષતાઓ અને લાયકાત: વિશેષતા: પારિવારિક ડોક્ટર એટલે એવા ડોક્ટર કે જે બાળકો અને પરિવારના ખરાબ સ્વાસ્થ્યનો પ્રાથમિક ઉપચાર કરવામાં તાલીમબંદ હોય છે. ઉપ-વિશેષતા: સામાન્ય પારિવારિક ડોક્ટર. વર્ન એસ.ચેરેવાતેન્કો, M.D., એક પારિવારિક ફિઝિશિયન છે જે ખાનગી પ્રેક્ટિસ કરે છે અને આ હેલ્થમેક્સ ઇનકોર્પોરેટેડના સંસ્થાપક છે. આ એક કંપની છે જે ડાયાબિટીસ, સ્થૂળતા, તણાવ, ન્યુટ્રીશનલ બાયોકેમિસ્ટ્રી, અને દીર્ઘાયુષ્યની દવાઓ પર જોર આપવાની સાથે સાથે કાર્યાત્મક દવાઓ પર વિશેષતા મેળવી રહી છે. આ અમેરિકન એસોસિએશન ઓફ પેશન્ટ્સ એન્ડ પ્રોવાઇડર્સ (AAPP)ના સંસ્થાપક છે. આ એક ગેર-લાભકારી સંસ્થા છે જે સ્વાસ્થ્યમાં સામાન્ય પરિવર્તનોની હિમાયત કરે છે. ડૉ. ચેરેવાતેન્કો મહિલાઓના તણાવ, ડાયાબિટીસ, સ્થૂળતા અને અન્ય મુદ્દાઓ પર રાષ્ટ્રીય સ્તર પર સામુદાયિક સેમીનાર ચલાવે છે.વોલ સ્ટ્રીટ જનરલ, ન્યુઝવીક, USA ટુડે, અને U.S. ન્યુઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટના કવર પર વર્ણિત છે. તેઓ અને તેમનો પરિવાર રેંટન, વોશિંગ્ટનમાં રહે છે.
       ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો વર્ન ચેરેવાતેન્કોનો કાર્યક્રમ :

ડાયાબિટીસને એક શાંત રોગ કહેવામાં આવે છે કારણ કે તે તમને કોઈપણ જાતની ચેતવણી આપ્યા વિના થતો રોગ છે. આ બહુ વધારે થાકના અનુભવ સાથે અથવા પેટ ભરીને ખાધા પછી પણ ખાવાની ઈચ્છા થવાની સાથે શરુ થઇ શકે છે. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે ઝાંખું દેખાય છે કે પ્રકાશનો ચમકારો દેખાય છે. તમારું માથું પણ દુખી શકે છે જે એસ્પ્રીન લીધા પછી પણ મટતું નથી અથવા ક્યાંક કાપો લાગી જાય અથવા ઘા થઇ જાય જે ભરાય જ નહિ. મોટાભાગના લોકોની જેમ, તમે આ પ્રારંભિક સંકેતો પર ધ્યાન આપશો નહિ અને તમને એવું લાગશે કે આ તણાવ કે ઓછા આરામને લીધે થઇ રહ્યું છે. થોડા સમય પછી, આ શાંત રોગ એટલી વધી જશે કે તમારે આની પરથી ધ્યાન નહિ હટાવી શકશો નહિ. શક્ય છે કે ડાયટીંગ વગર પણ તમે કેટલોક પાઉન્ડ વજન ઓછું કરી લો, અથવા તમે હાથોમાં ઝણઝણાટ અનુભવો જેનાથી તમને સ્ટ્રોક કે ટ્યુમર થવાનો ભય થાય. તમને લાગે છે કે તમારે ડોક્ટર જોડે જવાની જરૂર છે. તમારા લક્ષણોને સંભાળીને ડોક્ટરને લાગે છે કે તમને ડાયાબિટીસ હોઈ શકે છે. તોપણ, એક પ્લાઝ્મા ગ્લુકોઝ ટેસ્ટ થયા વગર બિમારીની જાણ નથી થઇ શકતી. ડાયાબિટીસની જાણ કરવા માટે આ સૌથી સરળ ઉપાય છે કારણ કે આ તમારા શરીરમાં બ્લડ ગ્લુકોઝની માત્રા જણાવે છે. આ ટેસ્ટ ઉપવાસ વગર પણ થઇ શકે છે કે ડાયાબિટીસ છે કે નથી. નર્સ થોડું લોહી લે છે અને તમને લેબોરેટરીના જવાબની રાહ જોવાની રહે છે.
પરિણામો સારા નથી. ડોક્ટર તમને જણાવે છે કે આ ટેસ્ટમાં સામાન્ય ગ્લુકોઝ કાઉન્ટ 200 (ml/dl) થી ઓછા હોવા જોઈએ. પણ તમારા નંબર 300 કરતાં વધારે છે.
"શું કોઈ ભૂલ પણ થઇ શકે છે?" તમે ડરતા-ડરતા પૂછો છો.
ડોક્ટર કહે છે "થઇ શકે છે". "રેન્ડમ પ્લાઝ્મા ગ્લુકોઝ ટેસ્ટ ફક્ત આમ જણાવે છે કે તમને ડાયાબિટીસ થઇ શકે છે. ભૂખ્યાં પેટે કરવામાં આવેલ પ્લાઝ્મા ગ્લુકોઝ ટેસ્ટ સાચી માહિતી આપે છે."
એક અન્ય બ્લડ ટેસ્ટ માટે ડોક્ટર પાસે જવાના 8 કલાક પહેલા સુધી તમે કાંઈ ખાતા નથી. તમારા હાથમાં સોય લગાવતી વખતે નર્સ કહે છે, "શક્ય છે આ વખતે પરિણામ અલગ હોય" અને લોહી લે છે.                    
પછીના દિવસે તમે તમારા ડોક્ટર સાથે ફરીથી પરીક્ષણ રૂમમાં જાઓ છો. તે તમારા બ્લડ ટેસ્ટના પરિણામ જુએ છે તમને જણાવે છે.
"ડાયાબિટીસ વગરના દર્દીમાં ભૂખ્યાં પેટે ગ્લુકોઝનું સ્તર 110 mg/dl થી ઓછું હોય છે," તમારા પરિણામની તરફ જોઇને તે કહે છે. "તમારી અંદર તે ઘણું વધારે છે, મને ભય છે કે તમને ડાયાબિટીસ છે."
જેવા તમે આ સમાચાર સાંભળો છો, તમારું મન ભારે થઈ જાય છે. ડાયાબિટીસ. તમને નથી ખબર કે આ કેવી રીતે થયું, તમે નથી જાણતા કે આની શરૂઆત કેવી રીતે થઇ, અને કદાચ તમે આ પણ નથી જાણતા કે આ હકીકતમાં છે શું. પણ તમને ખબર છે કે તમને આ છે અને જો તમે આનું ધ્યાન નહિ રાખો તો આ તમારા માટે નુકસાનદાયક થઇ શકે છે. તમે તમારા પરિવારના એ લોકો વિશે વિચારો છો જેઓને તમારી ઉંમરમાં ડાયાબિટીસ થઇ હતી અને તમને ખબર છે કે તેઓએ આ તકલીફનો સામનો કેવી રીતે કર્યો. તમે કદાચ એવા વ્યક્તિને પણ ઓળખો છો જે આ શાંત પરંતુ જીવલેણ બિમારીથી ગંભીર રીતે પીડિત થયા છે.
"મને ખબર છે કે આ સારા સમાચાર નથી, પણ લાખો લોકો ડાયાબિટીસનો ભોગ બનેલ છે," ફરીથી ખાતરી આપતા ડોક્ટર કહે છે.
"પણ મારે ડાયાબિટીસ જોઈતી નથી," તમે કહો છો. "શું તમે આનો ઈલાજ નથી કરી શકતા?"                                                                                                          
"ડાયાબિટીસનો ઈલાજ તમારા હાથમાં છે. મોટાભાગના દર્દીઓ એવું નથી કરવા માંગતા જેનાથી ડાયાબિટીસ દૂર થાય છે.
શું ડાયાબિટીસનો ઈલાજ થઇ શકે છે?                                                                                                                                       
લોકો દ્વારા મને આ પ્રશ્ન ઘણીવાર પૂછવામાં આવ્યો છે જેઓ આજીવન ડાયાબિટીસની દવાઓ લઇ રહ્યા છે.
હું તેમને સરળ જવાબ આપું છું કે હા.
Type 2 અથવા "એજ ઓનસેટ" ડાયાબિટીસને આજીવન રોગ તરીકે માનવામાં આવે છે.
આનાથી વિપરીત type 1 ડાયાબિટીસ, જે સામાન્ય રીતે વીસ વર્ષની ઉંમર પહેલા શરુ થાય છે સ્વાદપિંડુ ઇન્સુલિન પેદા કરવામાં નિષ્ફળ નીવડે છે, જેની મદદથી શરીર ઉર્જાની પ્રક્રિયા કરે છે, સામાન્ય રીતે Type 2 ડાયાબિટીસ 30 વર્ષની ઉંમર પછી શરુ થાય છે અને તે વજન વધવાથી અથવા શારીરિક નિષ્ક્રિયતાને કારણે થાય છે. આ બે પરિબળોનું સંયોજન તમારા સ્નાયુઓને ઇન્સ્યુલિન પ્રત્યે પ્રતિરોધક બનાવે છે, ઇન્સુલિન એક એવું હાર્મોન છે જે સ્વાદપિંડ દ્વારા ઉત્પન્ન થાય છે અને બ્લડ સુગર, અથવા ગ્લુકોઝને ઉર્જામાં પરિવર્તન કરે છે. જેમ કમ્બશન માટે જરૂરી છે કે ગેસ કારના એન્જિન સુધી પહોંચે આવી જ રીતે ઉર્જા ઉત્પન્ન કરવા માટે ગ્લુકોઝનું પણ સ્નાયુઓ (મસલ્સ) સુધી પહોંચવું જરૂરી છે. ઇન્સુલિન આ પરિવહનનું કાર્ય કરે છે. જો તમારા સ્નાયુઓ ઇન્સુલિન પ્રતિરોધક છે, અથવા તમારું સ્વાદપિંડુ પૂરતી માત્રામાં ઇન્સુલિન બનાવતું નથી, તો તમારા લોહીમાં ગ્લુકોઝ બની જશે, તેને કીચડની જેમ સખત બનાવી દેશે જેનાથી લોહી તમારા હૃદયમાં સરળતાથી પહોંચી શકશે નહિ. વધારે પડતા ગ્લુકોઝની પરતવાળી ધમનીઓવાળું લોહી, હાર્ટ એટેક, સ્ટ્રોક્સ, અનેક પ્રકારના બીજી ગંભીર બિમારીઓનું કારણ બને છે. સ્નાયુઓ જે પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝનો ઉપયોગ કરી શકતા નથી, બેકાર જાય છે જેમ નસો જેમાં ગ્લુકોઝ પહોંચતો નથી, મરી જાય છે. ઇન્સુલિન પ્રતિકારનું કારણ જણાય એમ નથી અને તેને "સિન્ડ્રોમ X" તરીકે ઓળખવામાં આવે છે જે નામ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડો. ગેરાલ્ડ રેવન દ્વારા આપવામાં આવ્યું છે.
                                           
                                      અધ્યાય 10
ડૉ. ગેબ્રિયલ કૌસેન્સ વિશે :
1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ

ડૉ. ગેબ્રિયલ કૌસેન્સ, M.D.

સરનામું :   Tree of Life Center US
                                        686 Harshaw Road
                                        Patagonia, AZ 85624.
ફોન નંબર :    1-866-394-2520
વેબસાઈટ :    www.treeoflifecenterus.com
વેબસાઈટ લિંક :    http://treeoflifecenterus.com/gabriel-cousens-m-d/
અભ્યાસ :   રબ્બી ગેબ્રિયલ કૌસેન્સ M.D., M.D.(H.), N.D.(h.c.), D.D., ડિપ્લોમેટે આર્યુવેદ, ડિપ્લોમેટ અમેરિકન બોર્ડ ઓફ હોલિસ્ટિક મેડિસિન ગેબ્રિયલ કૌસેન્સમાં એક હોલોસ્ટિક ફિઝિશિયન, હોમિયોપેથ, મનોચિકિત્સક, ફેમિલી થેરાપિસ્ટ, આયુર્વેદિક પ્રેક્ટિશનર અને ચાઇનીઝ હેરબાલિસ્ટ તરીકે કામ કરે છે. તદ ઉપરાન્ત, તેઓ વિશ્વના અગ્રણી ડાયાબિટીસ સંશોધક, ઇકોલોજીકલ લીડર, આધ્યાત્મિક ગુરુ, લાઇફ ફાઉન્ડેશનના વૃક્ષ અને ટ્રી ઓફ લાઇફ સેન્ટરના સ્થાપક અને ડાયરેક્ટર છે.  વધુમાં, તેઓ તેઓને જીવંત શાકાહારી ભોજનના આગળ પડતા ડોક્ટરોમાંના એક તરીકે જાણવામાં આવે છે. ડૉ. કૌસેન્સ New York Times દ્વારા "ઉપવાસના ગુરુ અને બિનઝેરીકરણ નિષ્ણાંત" તરીકે પણ ઓળખાય છે.
ગેબ્રિયલ કૌસેન્સએ સ્નાતકની ઉપાધિ એમ્હર્સ્ટ કૉલેજમાંથી મેળવી હતી જ્યાં તેઓ એક અપરાજિત ફૂટબોલ ટીમના કેપ્ટન હતા, અને તેઓની પસંદગી ઓલ ન્યૂ ઇંગ્લેન્ડના ગાર્ડ અને મિડલ લાઈનબેકર તરીકે થઇ હતી. તેઓ અગિયાર નેશનલ સ્કોલર એથ્લેટ્સમાંના એક હતા અને તેઓનો સમાવેશ નેશનલ ફૂટબોલ હોલ ઓફ ફેમમાં હતો. તેઓએ M.D. ની ડિગ્રી 1969 માં કોલમ્બિયા મેડિકલ સ્કૂલમાંથી મેળવી હતી, અને 1973 માં સાઈકેટ્રી રેસિડેન્સી પૂર્ણ કરી હતી. તેઓ NIMH મેન્ટલ હેલ્થ કેરિયર ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં આઠમાંથી પસંદ થયેલા એક હતા, અને યુ.એસ. પબ્લિક હેલ્થ સર્વિસમાં લેફ્ટનન્ટ કમાન્ડર તરીકે સેવા આપી હતી. ડૉ. કૌસેન્સ સોનોમા કાઉન્ટી ઓપરેશન હેડ સ્ટાર્ટના ચીફ મેન્ટલ હેલ્થ કન્સલ્ટન્ટ હતા અને કેલિફોર્નિયા સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ મેન્ટલ હેલ્થના એક કન્સલ્ટન્ટ હતા. તેઓ અમેરિકન હોલિસ્ટિક મેડિકલ એસોસિએશન (AHMA) ના પૂર્વ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ હતા. ડૉ. કૌસેન્સને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક અધ્યાત્મિક ગુરુ તરીકે માનવામાં આવે છે, રેબી (2008 માં રેબી ગેર્સન વિંકલર દ્વારા ઓળખવામાં આવ્યા) છે, જેઓ 1993 માં મોડર્ન એસેન ઓર્ડર ઓફ લાઈટના સ્થાપક અને 1970 થી કબાલાહના એક વિદ્યાર્થી છે. તેઓ હાઈ હોર્સ લકોટામાં 4-વર્ષના નેટીવ અમેરિકન સનડાન્સર, ઈગલ ડાન્સર, સ્પિરિટ ડાન્સના પ્રમુખ છે, જેમાં તેઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડૉ. કૌસેન્સની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિમાં ત્રણ મુખ્ય પરંપરાઓમાં સઘન અભ્યાસ અને વ્યક્તિગત અનુભવનો સમાવેશ છે, જેના દ્વારા તેઓને અનન્ય, પ્રમાણિક, આંતરધિકારી અને એકીકૃત વિશ્વદૃષ્ટિ પ્રાપ્ત થઇ છે. આ ત્રણ મુખ્ય પરંપરાઓ સાથે ડૉ. કૌસેન્સનું ટેઓઈઝમ સાથે પણ જોડાયેલ છે અને ચીનમાં શાઓલિન ટેમ્પલમાં પણ ભણી ચુક્યા છે. તેઓના ઘણા પદો વ્યવહારુ જ્ઞાનના ગતિશીલ, ઉદાર, વ્યાપક શરીર સાથે જોડાયેલ છે. આનાથી તેઓના હોલિસ્ટિક લિબ્રેશન એન્ડ લાઈવ ફૂડ વેગેનિઝ્મ પર અદ્વિતીય શિક્ષણને આધાર મળે છે. ડૉ. કૌસેન્સ દુનિયાભરમાં ચાલીસ દેશોમાં ભણાવી ચૂક્યા છે જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ઈંગ્લેન્ડ, કેનેડા, મેક્સિકો, નિકારાગુઆ, કોસ્ટા રિકા, પનામા, પેરુ, બ્રાઝિલ, આર્જેન્ટિના, તુર્કી, ગ્રીસ, મોરોક્કો, લેબનોન, ઇજિપ્ત, ઇઝરાયલ, ઘાના, નાઇજિરીયા, કૅમરૂન, દક્ષિણ આફ્રિકા, ઇથોપિયા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઇટાલી, સ્પેન, એમ્સ્ટર્ડમ, ડેનમાર્ક, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, ઝેક રિપબ્લિક, જર્મની, પોલેન્ડ, ક્રોએશિયા, ભારત, બાલી, થાઇલેન્ડ, અને હોંગ કોંગનો સમાવેશ છે અને તેઓ આમાંથી ઘણા દેશોમાં મેડિકલ સ્કૂલોમાં ડાયાબિટીસના ઉપચાર અને બચાવ પર ભાષણ આપી ચૂક્યા છે. તેઓ એક વેસ્ટ આફ્રિકન NGO, જેને WARES (વેસ્ટ આફ્રિકન રૂરલ હેલ્થ એમપાવરમેન્ટ સોસાયટી)ના સહસ્થાપક છે. તેઓ આરોગ્ય અને ડાયાબિટીસના બચાવ પર કાર્યક્રમ, બાળકોની સ્કૂલો, અને 13 દેશોમાં અનાથાશ્રમોની પણ સ્થાપના કરી ચૂક્યા છે, જેમાં 1200 થી વધારે બાળકોને દર અઠવાડિયે શાકાહારી ભોજન આપવામાં આવે છે. તેઓને યૂ.એસ.માં પ્રવાસી ખેતરના કામદારોને આહાર અને ડાયાબિટીસ પર શિક્ષણ આપવા માટે 2013 માં સીઝર ચાવેઝ (Cesar Chavez) એવોર્ડ મળ્યો છે.    ડૉ. કૌસેન્સે વૈજ્ઞાનિક પત્રો પ્રકાશિત કર્યો છે ક્રિથિડિયા ફેસ્કિક્યુલેટમાં "યુંરેઈડ કાર્બન ઓફ સાઈટ્રૂલાઈન, એ પ્રિકર્સર ઇન પિરીમીડિન સિન્થેસિસ"; બાયોકેમિકલ એન્ડ બાયોફિઝિક્સમાં "સાઈટ્રૂલાઈન યુટિલાઈજેશન ઇન ક્રિથિડિયા"; જર્નલ ઓફ સ્કૂલ હેલ્થમાં "ચાઈલ્ડ હેલ્થ ઇન એ હાર્લેમ એલિમેન્ટરી સ્કૂલ"; સાઇકોફોરાકોલોજીયામાં "THC એસ એન હિપ્નોટિક"; અને ઓર્થોમેડિસિનમાં "રિપોર્ટ ઓફ ટ્રીટમેન્ટ અલ્ઝાઇમર્સ ડિજીજ વિથ આલ્ફાના ક્લામાથૉમેનન ફ્લોસ-એક્વા".
1973 થી ડૉ. કૌસેન્સે આરોગ્ય અને ન્યુટ્રીશન, મનો-આધ્યાત્મિક ઉપચાર, ધ્યાન અને આધ્યાત્મિક જાગૃતતાને લગતા વિષયો પર સેમિનારો યોજ્યા છે. તેઓ 1973 થી યોગાની દુનિયાના ભાગ રહ્યા છે, અને આધ્યાત્મિક ગુરુ અને કુંડલીની નિષ્ણાંત તરીકે ઘણી તાલીમ અને અનુભવ પ્રાપ્ત કર્યો છે, તેઓની સાત વર્ષની સ્વામી મુક્તાનંદ સાથેની સાધના અને અગિયાર વર્ષની સ્વામી પ્રકાશાનંદ સાથેની સાધના દરમિયાન તેઓએ (1976 માં તેઓએ ડૉ. લી સાનેલા સાથે દુનિયામાં પહેલી "કુંડલિની ક્રાઈસીસ ક્લિનિકનું" આયોજન કર્યું હતું).  1981 માં, સ્વામી પ્રકાશાનંદ, મુક્તાનંદના મુક્ત શિષ્યે, તેઓને જાહેરમાં "વાસ્તવિક આધ્યાત્મિક પ્રાપ્તિના યોગી" તરીકેની ઓળખ આપી જેમને "જન્મમરણની પૂર્ણતા વિશે જ્ઞાન થયું છે." 1982 માં, તેઓનો સ્વામી મુક્તાનંદે પણ તેમની મૃત્યુ પહેલા સ્વીકાર કર્યો હતો.                                                                                    
એક વિશ્વશાંતિ કાર્યકર્તા, હોલિસ્ટિક ફિઝિશિયન અને સારા તાલીમબદ્ધ આધ્યાત્મિક શિક્ષક તરીકે ડૉ. કૌસેન્સ લોકોને સ્વતંત્ર અને ખુલ્લું જીવન જીવવા માટે પ્રેરિત કરવા અને સારું આરોગ્ય પ્રદાન કરવામાં અદ્વિતીય છાપ રાખે છે. ડૉ. કૌસેન્સના કાર્ય અને તેઓના કાર્યક્રમો અને તેઓના ન્યુઝલેટર માટે સભ્ય બનવા માટે www.drcousens.com પર જાઓ.


ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. ગેબ્રિયલ કૌસેન્સ નો કાર્યક્રમ :   
(નેચરલ ન્યુઝ) જે લોકોને ડાયાબિટીસ, સ્થૂળતા અથવા બ્લડ સુગરની અવસ્થાઓ છે, તેઓએ આ ઈન્ટરવ્યૂ "ફરજિયાત સાંભળવું" જોઈએ. તેમાં એક પણ જાહેરાત નથી અને તેને આપ MP3 માં મફત ડાઉનલોડ કરી શકો છો અને કોઈપણ કોમ્પ્યુટર અથવા MP3 પ્લેયરમાં ચલાવી શકો છો. તમે આ ઈન્ટરવ્યૂ સાંભળીને આશ્ચર્યચકિત રહી જશો –– પરંપરાગત દવાના વિશ્વ માટે તે જબરદસ્ત છે અને તે ડાયાબિટીસના ઉપચારને નિષ્ફળ કરે છે. આ ઈન્ટરવ્યૂ ડૉ. ગેબ્રિયલ કૌસેન્સ સાથેનું છે, જેઓ પેટાગોનીયા, એરિઝોનામાં ટ્રી ઓફ લાઈફ રેજુવેન્શન સેન્ટર (www.TreeofLife.nu) ના સ્થાપક છે. આ ઓડિયો ઈન્ટરવ્યૂમાં, તમે સાંભળશો કે

ડૉ. કૌસેન્સ જણાવે છે કે ભૂખ્યા પેટે બ્લડ સુગરના સ્તરમાં ઘટાડો કરવા માટે કાચું ભોજન કેવી રીતે અને કેમ ખરેખર કામ કરે છે, કેટલાક જ અઠવાડિયાઓમાં ડાયાબિટીસને અસરકારક રીતે દૂર કરી શકાય છે.
                                                                     
આ ડાયાબિટીસનો ઈલાજ છે. આ માત્ર સંજોગ નથી કે ડૉ. કૌસેન્સ ધેર ઈઝ એ ક્યોર ફોર ડાયાબિટીસ પુસ્તકના લેખક છે. આ પુસ્તકમાં તે અગિયાર લોકોની સફળતાનું વર્ણન છે જેઓએ કાચું ભોજન લીધું અને શરીરમાં ઝડપથી સુધારો અનુભવ્યો. આમાં નિમ્નનો સમાવેશ છે.
• Type-1 અને Type-2 બંને પ્રકારની ડાયાબિટીસનો ઈલાજ.
• શરીરની ચરબી ઝડપથી ઓછી થવી
• ઝડપથી બ્લડ સુગરમાં સ્થિરતા
• જ્ઞાનાત્મક ક્રિયામાં સ્પષ્ટપણે સુધારો

શું ડાયાબિટીસ "લાઈલાજ" છે?
                                                      
પરંપરાગત દવાઓ (અને અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન) સતત કહે છે કે ડાયાબિટીસ લાઈલાજ છે. પરંપરાગત દવાઓ કામ નથી કરતી કારણ કે તે વધારે પડતી ઝેરી રસાયણિક દવાઓ હોય છે અને રાંધેલા મૃત ખોરાક પર આધારિત હોય છે. હકીકત આમ છે કે તેઓ દર્દીઓ માટે ઉપચાર કરતાં વધારે ઝેરી હોય છે. ઉદાહરણ તરીકે, બધા જાણે છે કે ડાયાબિટીસની દવાઓથી લીવરમાં ગંભીર ખરાબી થાય છે.  
પણ કાચા જીવંત આહાર લેવાથી સુધારો થાય છે. આનાથી બહુ ઝડપથી જેનાથી શરીરની કેટલીક શારીરિક બિમારીઓ દૂર થાય છે. એટલા માટે વજન ઓછું કરવા, ડાયાબિટીસ દૂર કરવા, દીર્ઘાયુ માટે જ્યુસ પીવો એ આપમેળે આરોગ્ય સુધારની એક પ્રચલિત રીત છે.

પારંપારિક દવાઓ કાચા જીવંત ખોરાકની સુધારો કરવાની શક્તિથી તદ્દન અજાણ છે, પણ તે રસાયણિક દવાઓ જ લેતા રહેવા પર જોર આપે છે જેનાથી કોઈપણમાં સુધારો થતો નથી. ડાયાબિટીસથી પીડિત કોઈપણ વ્યક્તિ ક્યારે પણ ફાર્માસ્યુટિકલ દવાઓથી સારો થયો નથી. આ દવાના ઇતિહાસમાં ક્યારે પણ બન્યું નથી. અને તો પણ કાચા જીવંત આહારથી Type 2 ડાયાબિટીસ 90% - 9% ના દરે દૂર થઇ શકે છે.
ડૉ. કૌસેન્સનું પુસ્તક ધેર ઈઝ એ ક્યોર ફોર ડાયાબિટીસ દરેક જગ્યાએ પુસ્તકની દુકાનો પર ઉપલબ્ધ છે, અને તે Amazon.com: http://www.amazon.com/There-Cure-Diabetes-21... અહિયાં પણ ઉપલબ્ધ છે.

સારા નવા જ્યુસ નીકળવાનું મશીન હ્યુરોમ સ્લોવ જ્યુસર, જેનાથી તમે આપમેળે પોતાના રસોડામાં કાચા જીવંત જ્યુસ બનાવી શકો છો. આ સાચેજ માં એક અદ્ભુત મશીન છે જેમાં ફળો, શાકભાજી અને ઘાસોના જ્યુસ નિકળે છે. તેમાં તાજું કાચી બદામનું દૂધ, કોળાના બીજનું દૂધ, તલનું દૂધ અને અન્ય મેવાનું દૂધ બનાવી શકાય છે. મારું વિવેચન અહીં વાંચો: http://www.naturalnews.com/028128_Hurom_slow…

                         
અધ્યાય 11
ડૉ. રિચર્ડ કે. બર્નસ્ટેઇન વિશે :

1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ

ડૉ. રિચર્ડ કે. બર્નસ્ટેઇન, M.D
ફોન નંબર :    1-800-798-6972
ઇમેલ :    publisher@diabetesincontrol.com
વેબસાઈટ :    www.diabetes-book.com
વેબસાઈટ લિંક :    https://en.wikipedia.org/wiki/Richard_K._Bernstein

અભ્યાસ :     રિચર્ડ કે. બર્નસ્ટેઇન (જન્મ 17 જૂન, 1934) આ એક ફિઝિશિયન છે અને લો-કાર્બોહાઈડ્રેટ ડાયાબિટીસ ખોરાકનો પક્ષ લે છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર સામાન્ય રહેવામાં મદદ થઇ શકે. તેઓનો મામેરોનેક, ન્યૂ યોર્કમાં તબીબી અભ્યાસ ડાયાબિટીસ અને પૂર્વ-ડાયાબિટીસનો ઉપચાર કરવા માટે જ સમર્પિત છે. તેઓ અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રીશન, અમેરિકન કોલેજ ઓફ એન્ડોક્રિનોલોજી અને ધ કોલેજ ઓફ સર્ટિફાઈડ વાઉન્ડ સ્પેશિયાલિસ્ટ્સના સભ્ય છે. તેઓએ ડાયાબિટીસ અને બ્લડ સુગર સામાન્ય કરવા પર છ પુસ્તકો લખ્યા છે.
પ્રારંભિક જીવન : રિચર્ડ કે. બર્નસ્ટેઇનનો જન્મ 1934 માં ન્યૂ યોર્કમાં થયો હતો. 1946 માં 12 વર્ષની ઉંમરે, બર્નસ્ટેઇનને type 1 ડાયાબિટીસ થઇ ગઈ. બે દાયકાઓ સુધી તેઓ એક "સામાન્ય ડાયાબિટીસના દર્દી" તરીકે ઓળખાતા હતા –– જેઓએ ડોક્ટરના આદેશોનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું. સ્થિતિઓનો બહાદુરીપૂર્વક સામનો કર્યા પછી પણ કેટલાક વર્ષોમાં તેઓની ડાયાબિટીસમાં વધારો થતો ગયો અને બર્નસ્ટેઇન 30 થી વધારે વર્ષના થઇ ગયા અને તેઓની શરીરની હાલત બગડવા લાગી. રિચર્ડ કે. બર્નસ્ટેઇન વિશે વધુ આગળ વાંચો …….


બ્લડ સુગર મીટર વિશે જાણવું :

ઓક્ટોબર 1969 માં, બર્નસ્ટેઇને વેપાર જર્નલ લેબ વર્લ્ડમાં એક જાહેરાત જોઈ. આ એક નવા બ્લડ ગ્લુકોઝ વિશેની હતી જે એક ટીપાં લોહીથી એક મિનિટમાં પરિણામ આપી દે છે. આ ઉપકરણ હોસ્પિટલમાં આપાતકાલીન સ્ટાફ માટે બનાવવામાં આવ્યું હતું. જેનાથી દારુ પીને બેભાન થનાર અને ડાયાબિટીસને કારણે બેભાન થનારાઓની ઓળખ કરી શકાય. આ ઉપકરણનું વજન 3 પાઉન્ડ હતું, કિંમત $650 અને આ માત્ર સર્ટિફાઇડ ફિઝિશિયન અને હોસ્પિટલ માટે જ ઉપલબ્ધ હતું. બર્નસ્ટેઇન પોતાની ડાયાબિટીસને નિયંત્રિત કરવા માંગતા હતા, એટલા માટે તેઓએ પોતાની ડોક્ટર પત્નીને આ ઉપકરણ ખરીદવા માટે કહ્યું. બર્નસ્ટેઇન દિવસમાં 5 વખત પોતાનું બ્લડ સુગર માપવા લાગ્યા અને જલ્દીથી તેઓએ અનુભવ્યું કે દિવસ દરમિયાન આ ઘણું વધતું જઈ રહ્યું છે. પોતાના બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે તેઓએ રોજ ઇન્સુલિનના એક ઈન્જેકશનને બદલે બે ઈન્જેકશન કરી દીધા અને પોતાના ખોરાકની સાથે પ્રયોગ કરવા લાગ્યા, જેમાં કાર્બોહાઈડ્રેટ લેવાની માત્રાને ઓછી કરી. 3 વર્ષ પછી બર્નસ્ટેઇન પોતાના બ્લડ સુગર લેવલ પર ધ્યાન આપવા લાગ્યા, તેઓની તકલીફ હજી પણ વધતી જઈ રહી હતી અને તેઓ આ રોગ સાથે જોડાયેલ વૈજ્ઞાનિક લેખો પર રિસર્ચ કરવા લાગ્યા. તેઓએ પ્રાણીઓ પરના ઘણા અધ્યયનો શોધ્યા, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે બ્લડ સુગરને નિયંત્રિત કરીને ડાયાબિટીસથી થનાર તકલીફોથી બચી શકાય છે અને તેને દૂર પણ કરી શકાય છે. આ ડાયાબિટીસના ઉપચારથી તદ્દન વિપરીત હતું, જેમાં ઓછું-ફેટ, વધારે કાર્બોહાઈડ્રેટવાળો આહાર અને હાઈપોગ્લાયકેમિઆ અને કેટોએસીડોસિસ પર જોર આપવામાં આવે છે. બર્નસ્ટેઇન સામાન્ય બ્લડ સુગર સુધી પહોંચવામાં સફળ રહ્યા; એક વર્ષમાં તેઓનું ઇન્સુલિન અને આહાર આ હદ સુધી ઠીકઠાક થઇ ગયા કે આખો દિવસ સામાન્ય રહેતા હતા. વર્ષોની સ્થૂળતા અને તકલીફો પછી બર્નસ્ટેઇન પોતાની જાતને સ્વસ્થ અને ઉર્જાવાન અનુભવવા લાગ્યા. તેઓનું સીરમ કોલેસ્ટ્રોલ અને ટ્રિગ્લાઇસેરાઇ લેવલ હવે સામાન્ય થઇ ગયા હતા અને મિત્રો કહેવા લાગ્યા કે તેઓની તકલીફો સમાપ્ત થઇ ગઈ છે. તેઓ ડાયાબિટીસને કારણે થનાર બ્લડ સુગર પર ધ્યાન આપવાવાળા એક પ્રારંભિત તબક્કાના અને મૌખિક વકીલ હતા.
મેડિકલ સ્કૂલ :    બર્નસ્ટેઈન આ માનતા હતા કે આ જ તકનીકનો ઉપયોગ ડાયાબિટીસવાળાઓ માટે પણ કરી શકાય છે અને આવી જ જીવનશૈલી દ્વારા તેઓના જીવનમાં ઘણો બદલાવ થઇ શકે છે. તેઓ મેડિકલ લાઈનના નહોતા પણ એક એન્જિનિયર હતા. પોતાની સ્થિતિમાં સુધાર પછી પણ તેઓને મેડિકલ ક્ષેત્રમાં ડાયાબિટીસના ઉપચારમાં બદલાવને લઈને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. બર્નસ્ટેઈન એક પેપર લખ્યું જેમાં આ તકનીક વિશે લખ્યું હતું અને તેઓએ તેને ઘણા મેડિકલ જર્નલ્સમાં પ્રકાશિત કરાવ્યું, પરંતુ કોઈપણ તેનો સ્વીકાર નહિ કરે કારણ કે તેઓ એક M.D. નહોતા. 1977 માં, તેઓએ પોતાની નોકરી છોડવાનો નિર્ણય કર્યો અને ફિઝિશિયન બની ગયા –– " હું તેઓને હરાવી શક્યો નહિ એટલે હું તેમની સાથે જોડાઈ ગયો." 45 વર્ષની ઉંમરમાં બર્નસ્ટેઈને આલ્બર્ટ આઇન્સ્ટાઇન કોલેજ ઓફ મેડિસિનમાં પ્રવેશ મેળવ્યો. 1983 માં, તેઓએ પોતે સ્વયં પોતાના ઘરની પાસે મામરોનેક, ન્યૂ યોર્કમાં મેડિકલ પ્રેક્ટિસ શરુ કરી. 2006 માં, બર્નસ્ટેઈનનો HDL કોલેસ્ટ્રોલ 118, LDL 53, ટ્રિગ્લાઇસેરાઇડ 45, અને સરેરાશ બ્લડ સુગર 83 mg/dl હતું. 2008 માં, 74 વર્ષની ઉંમરે, બર્નસ્ટેઈન Type 1 ડાયાબિટીસથી દૂર થઇ ગયા. તેઓએ પોતાના દીર્ઘાયુ માટે ડાયાબિટીસવાળાઓ માટે તૈયાર કરવામાં આવેલ ઓછા કાર્બોહાઈડ્રેટવાળા આહાર અને જીવનશૈલીમાં બદલાવને જવાબદાર ગણ્યા.   
ઓછા-કાર્બોહાઈડ્રેટ ડાયાબિટીસ આહાર અને ઉપચારની રીત :                                                                                    
બર્નસ્ટેઈનની ડાયાબિટીસનો ઉપચાર કરવાની રીતને તેઓના દર્દીઓ ઘણી સારી માને છે અને આનાથી તેઓનું બ્લડ સુગર પર ઘણું સારું નિયંત્રણ થાય છે જેનાથી ડાયાબિટીસ સાથે જોડાયેલ થોડી અથવા બધી તકલીફો ઓછી થાય છે. ઘણા સીમિત આહારની સાથે અને ઘણા મુદ્દાઓમાં સમય-સમય પર તપાસ અને ઇન્સુલિન આપવાની સાથે વેપાર-બંધ પાલન.
બર્નસ્ટેઈન Type 1 અને Type 2 બંને પ્રકારની ડાયાબિટીસ માટે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (ADA) દ્વારા આપવામાં આવેલ આહાર નિર્દેશોનું દૃઢતાપૂર્વક વિરોધ કરે છે.
આહારને લઈને તેઓ જે સલાહ આપે છે તે અધિકતમ બીજા બધા આહારોથી વિરોધ પ્રકટ કરે છે.
તેઓના ઉપચાર કાર્યક્રમના કેટલાક મુખ્ય બિંદુઓ :                                                                                                                                                                 
  • બ્લડ સુગરને સારી પેઠે નિયંત્રણ કરવા માટે ઘણા ઓછા કાર્બોહાઈડ્રેટવાળો આહાર.

  • કાર્બોહાઈડ્રેટની એવી માત્રા જેનો સ્વીકારવામાં આવી છે - નાસ્તા માટે મહત્તમ 6 ગ્રામ, બપોરના ભોજન માટે 12 ગ્રામ, સાંજના ભોજન માટે 12 ગ્રામ અને આખા દિવસમાં મહત્તમ 30 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, બધા દર્દીઓ માટે ભલે ગમે તે ઉંમરના હોય અને શરીરનું વજન ગમે તે હોય.
  • સુગર અથવા મધવાળા બધા આહાર, જેવો કે મિઠાઈઓ, કેન્ડી, અને પેસ્ટ્રીઝ; અનાજ અને અનાજના લોટથી બનેલો તમામ આહાર, જેવો કે રોટલી, સિરીયલ, પાસ્તા, અને ભાત; સ્ટાર્ચવાળા બધા શાકભાજી, જેવા કે બટાકા, મકાઈ, ગાજર, વટાણા, ટામેટા, અને દાળ; બધા તાજા અથવા સાચવેલ ફળો અને ફળોના જ્યુસ; બટર, ક્રીમ, અને આથાવાળી ચીઝ સિવાયના તમામ ડેરી ઉત્પાદોથી દૂર રહેવું. પ્રોફેશનલ : દર્દી બ્લડ સુગરને નિયંત્રિત કરવાની જવાબદારી લે છે, જેમાં દિવસમાં 8 વખત બ્લડ સુગરની તપાસ કરવી જરૂરી છે.
  • બ્લડ ગ્લુકોઝ લેવલ જે અખો દિવસ લગભગ એક સમાન જ રહે, આ લક્ષ્ય છે.

  • type 2 ડાયાબિટીસવાળા જાડા લોકોએ વજન ઘટાડવું.

  • type 2 ડાયાબિટીસવાળા બધા લોકોએ કસરત કરવી.

  • ઇન્સુલિનના વપરાશકર્તાઓ માટે બેસલ અને બોલસવાળો આહાર.

તેઓ બ્રોન્ક્સ મ્યુનિસિપલ હોસ્પિટલ સેન્ટર પર આલ્બર્ટ આઇન્સ્ટાઇન કોલેજ ઓફ મેડિસિનના પેરિફેરલ વેસ્ક્યુલર ડિજીજના નિવૃત્ત ડાયરેક્ટર છે.

ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. રિચર્ડ કે. બર્નસ્ટેઇન  નો કાર્યક્રમ :   
ડાયાબિટીસની સમસ્યાનું ઉકેલ કરવાના ડૉ. બર્નસ્ટેઇનના દૃઢ નિશ્ચય સાથે આ તથ્ય તેઓ માટે મદદગાર સાબિત થયું, જેનાથી તેઓ બ્લડ ગ્લુકોઝને સામાન્ય સ્તર સુધી લઇ આવ્યા. આનું વર્ણન તેઓએ પોતાના કાયમથી ઘણા પ્રચલિત પુસ્તક, ડાયાબિટીસ સોલ્યુશન, માં કર્યું છે. તેઓના પુસ્તક ડાયાબિટીસ સોલ્યુશનમાં વર્ણિત આ સરળ અને સીધી રીત સારા આહાર, સારી કસરત, અને (જ્યાં જરૂર હોય) થોડા ઘણા ધ્યાન પર આધારિત છે. ડૉ. બર્નસ્ટેઈન તમને જણાવશે કે type 1 ડાયાબિટીસ જોડે 69 વર્ષો સુધી જીવતા-જીવતા તેઓએ શું શીખ્યું અને સઘન શોધ અને પ્રયોગો દ્વારા તેઓએ કેવી રીતે આ સરળ રીત તૈયાર કરી જેણે અગણિત ડાયાબિટીસના દર્દીઓની મદદ કરી છે. "આ આશ્ચર્યજનક છે, કોઈએ પણ આવું પહેલા નહોતું વિચાર્યું," તેઓ કહે છે. "કેટલાક લોકો જે ડાયાબિટીસની દેખરેખના ક્ષેત્રમાં છે, તેઓ આજે પણ તેનો સ્વીકાર નથી કરતા!" પણ જે લોકો ફક્ત એક કારણસર જ આ કાર્યક્રમનું પાલન કરે છે, તેઓ સફળતા મેળવે છે!
તેઓના ઓછા કાર્બોહાઈડ્રેટવાળા ઉકેલે અલગ-અલગ ઉંમર અને લક્ષણોવાળા દર્દીઓની મદદ કરી છે, યુવા અને વૃદ્ધ, જો કે આ ડાયાબિટોલોજીની મુખ્ય ધારાથી સંપૂર્ણપણે દૂર રહીને કરવામાં આવ્યો છે. બ્લડ સુગરને સામાન્ય બનાવવું એટલું કઠીન નથી જેટલું લોકો વિચારે અને તેઓએ તેવા દર્દીઓના કેસનો અભ્યાસ પણ આમાં આપેલ છે, જેઓએ પોતાની ડાયાબિટીસમાં ઘણો ફેરફાર અનુભવ્યો છે.
વેબસાઈટ લિંક:  http://www.diabetes-book.com/








અધ્યાય 12
ડૉ. એલેક્સા ફ્લેકનસ્ટેઇન વિશે
1) સંપર્ક માહિતી :
2)    અભ્યાસ :   
3)    ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ

ડૉ. એલેક્સા ફ્લેકનસ્ટેઇન, M.D.
સરનામું :     111 Seaver St,Brookline,MA 02445,USA
ફોન નંબર :     +1 617-834-9700
વેબસાઈટ લિંક :    https://www.amazon.com/Alexa-Fleckenstein/e/B001IXNPGO


અભ્યાસ :   જર્મનીમાં અભ્યાસ(ગણિત, ફિલસુફી, મેડિસિન) કર્યો. બોસ્ટન, મેસેચ્યુસેટમાં ઇન્ટરનલ મેડિસિનમાં બોર્ડ દ્વારા પ્રમાણિત અને તાલીમબદ્ધ છે. ડૉ. ફ્લેકનસ્ટેઇનના લેખોમાં વૈજ્ઞાનિક માહિતીની સાથે પુરાવા-આધારિત પ્રાકૃતિક દવાઓ છે. તે લોકોમાં અને મીડિયામાં એક સારી વક્તા છે. જયારે તે લેખન નથી કરતી ત્યારે પોતાના પરિવાર સાથે આનંદ કરે છે, બગીચાનું કામ, વાંચન, લેખન કરે છે અને ખૂબ જ સેલો રમે છે. ડૉ. ફ્લેકનસ્ટેઇનનું નવું પુસ્તક "ધ ડાયાબિટીસ ક્યોર" - ધ 5-સ્ટેપ પ્લાન તો એલિમિનેટ હંગર, લોસ વેઇટ, એન્ડ રિવર્સ ડાયાબિટીસ ફોર ગૂડ!" હાલમાં જ ઓક્ટોબર 2013 માં, રોડેલ્સમાં આવી છે. https://www.rodalestore.com/diabetes/the-diabetes-cure.html?keycode=237725
આ type 2 ડાયાબિટીસવાળા બધા દર્દીઓ માટે ઘણું સારું છે અને સાથે જ અન્ય ખતરનાક બિમારીઓ જેવી કે સંધિવા, ડિપ્રેશન, વધારે વજનવાળાઓ માટે પણ આમાં સ્વાસ્થ્યને લગતી માહિતી છે, "આપણને પ્રકૃતિની જરૂર નથી - આપણે પ્રકૃતિ છીએ! આપણને દરરોજ તાજું ભોજન જોઈએ કારણ કે માણસની બાયોકેમિસ્ટ્રી બ્રોકોલી, સફરજન, હરણ, હેરિંગ, મશરૂમ, સુવાદાણા જેવી હોય છે." (એલેક્સા ફ્લેકનસ્ટેઇન M.D.)


ડાયાબિટીસ સંપૂર્ણપણે દુર કરવાની પધ્ધતિ માટેનો ડૉ. એલેક્સા ફ્લેકનસ્ટેઇન  નો કાર્યક્રમ :   

                  કેટલાક ડોક્ટરો તેમના દર્દીઓને કહે છે કે ડાયાબિટીસ સાથે કેવી રીતે જીવવું જોઈએ, પણ કોઈ ડાયાબિટીસની સાથે જીવવાની રીત કેમ શીખે, જયારે કે આને દૂર કરી શકાય છે અને બધા કરી શકે છે? ડાયાબિટીસ ક્યોરમાં, એલેક્સા ફ્લેકનસ્ટેઇન એક અદ્ભુત યોજના રજૂ કરે છે અને તે ડાયાબિટીસના અસલી કારણ inflammation પર ધ્યાન કેન્દ્રિત કરે છે.                                                                      
આ પુસ્તક પાઠકોને ડાયાબિટીસ મુક્ત જીવન બનાવવા માટે પાંચ જરૂરી આરોગ્યને લગતા સૂચનો આપે છે. સરળ, ઝડપથી થતા વ્યાયામ (એક દિવસમાં 5 મિનિટ કેવું રહશે?); સ્વાદિષ્ટ, anti-inflammatory ભોજન અને કેટલાક અન્ય નવા સુઝાવો દ્વારા ડૉ. ફ્લેકનસ્ટેઇન એક સ્પષ્ટ, અમલ કરી શકાય તેવી યોજના જણાવે છે, જે ડાયાબિટીસને દૂર કરી શકે. અને બ્લડ સુગર સાથે થતો સંઘર્ષ સમાપ્ત કરવો એ એક શરૂઆત છે, કારણ કે આ 5-ચરણની યોજના પાઠકોને 5, 10 અને અહિયાં સુધી કે 50 પાઉન્ડ સુધી ઘટાડતા શીખવાડે છે.
જે લોકોએ આ યોજનાનો અમલ કર્યો છે તેઓએ ફક્ત તેઓનું વજન (50 પાઉન્ડ સુધી) ઘટાડ્યું જ નથી પણ તેઓની ડાયાબિટીસ પણ દૂર થઇ ગઈ.
આવી સફળ વાર્તાઓનું વર્ણન આ પુસ્તકમાં છે. ડાયાબિટીસ ક્યોર પાઠકોને ડાયાબિટીસ થવાનું અસલી કારણ જણાવે છે, કેવી રીતે હમેશા માટે ઇચ્છાઓનો અંત લાવી શકાય છે, આ વિશે જણાવે છે, અને કેવી રીતે લોકો પોતાના જીવન પર ફરીથી કાબૂ મેળવી શકે છે તેમાં મદદ કરે છે.
વેબસાઈટ લિંક:  

                                                           
SPICE - Method

Scientifically Planned Indian Creative Eating (SPICE) Method is a result-oriented tasty, delicious and spicy eating plan to achieve life-long health, higher energy & amazing creativity.

SPICE-Plan involves following key components:

1) 10:2:6 BLD Timing: Eat your dinner at LATEST by 6:00 PM. Have your breakfast at 10:00 AM. (Between 6:00 PM in the evening to next day 10:00 AM - keep complete fast - preferably dry fast - without water for 16 hours).

2) 80 Per Cent Vegetables: Fill 80 % of food plate with delicious and tasty salad with vegetables like Cabbage, Spinach, Radish, Carrot, Tomato, Onion, Garlic & Cucumber. Eat vegetables in raw form as far as possible. If needed you can have vegetable juice, soup, lightly cook the vegetables in pressure cook or pan. Have 10 % to 20 % of raw fruits like Strawberry, Cherry and other nutritious fruits. You can easily eat 500 gms of various vegetables during the day.

3) Enjoy Grains In Moderation: Avoid dairy, animal products, sugar, white rice and white wheat flour. As needed, take up-to 10 to 15 % in grains, dry-fruits, pulses, legumes and fat. Use Jowar, Brown Rice, Moong, Black Beans. Use minimum portion of Sunflower Oil and organic cow-ghee whenever absolutely necessary.  Enjoy coconut, fig, almond, walnut and other dry fruit in raw, soaked-n-dried form. If you are trying to recover from any disease, avoid all grains, pulses and legumes.

SPICE-Plan is supported by cutting-edge medical research and has proven to produce amazing benefits. SPICE-Plan is based on ANDI food chart recommended by Dr. Joel Furhman (MD) from New Jersey, USA.



મસાલેદાર મસ્તી મેજિક – Total Fun. Total Health.
મન ભરીને ખાઓ. સ્વાદિષ્ટ નાસ્તા ની મજા માણો !!

ગરમ કર્યા વગરનું કાચું ભોજન


10:00 AM
રોયલ બ્રેકફાસ્ટ - (ત્રણ થી પાંચ આઈટમ)
પંજાબી ભીંડી મસાલા
ચટકા ગોલ્ડન કાકડી ભેળ
તીખો કોબી કેપસિકમ ચેવડો
મેથી મગ Sprouts- પપૈયા ના સંભારા સાથે
ચટાકેદાર કેરી, ટીંડોરા, મગ ઉપમા
વઢવાણ ભરેલા મરચાં
ટામેટા મટર પેટ્ટીસ ચાટ
ટામેટા પાણી પુરી
ટામેટા મેથી ચાટ - સેવ બટેટા પુરી
ઉર્વશી ગાજર બીટ ફુદીના કાવો
રોયલ કલિંગર કોલા
મસ્ત લાલ ટમેટા લિમકા
રાજભોગ ડ્રાય ફ્રૂટ હલવો
 
2:00 PM
મહારાજા લંચ - જલસા કરો. ભરપેટ જમવાની લિજ્જત માણો !
લિજ્જતદાર મસાલા કોબી
મિક્સ ભરેલા વેજિટબેલ
પંજાબી મગ મસાલા દાલ Sprout
રોયલ ગ્રીન આસામ
વેજિટબેલ રો પેટીસ
કોકોનટ રસગુલ્લા
ખજૂર ગુલાબજાંબુ
તાજી કોકોનટ છાસ
ચેન્નાઇ એક્સપ્રેસ કોકોનટ ચટણી
કોબી કેરી મસાલા ભેળ
મિક્સ કેપશિકમ - લીલા, પીળા, લાલ – ભેળ

3:30 PM
સ્વાદિષ્ટ ચટપટા નાસ્તાપાણી

મસાલા મિક્સ વેજિટબેલ
લેમન આદુ પેપ્સી
મસાલેદાર ગ્રીન ટી
ઉર્વશી ગાજર બીટ ફુદીના કાવો
રોયલ કલિંગર કોલા
મસ્ત લાલ ટમેટા લિમકા
કોર્ન સ્પ્રોઉટ ચટકો
6:00 PM
સાંજનું યાદગાર ડિનર - ભોજન ઈશ્વરનો પ્રસાદ છે! મન ભરીને આરોગો !!
ફ્રેન્ચ વેપો પુડલા
રોયલ થાઈ કબિયો
મસાલા વેજિટબેલ ખીચડી
ભીંડા કોકોનટ કાઢી
ચાઇનીસ બિરયાની
રોયલ કેરાલા સંભાર
કલિંગર ફ્રૂટ સલાડ
કોકોનટ આઈસ ક્રીમ
મસાલા તડકા દાલ
કોકોનટ રસગુલ્લા
ખજૂર ગુલાબજાંબુ
સ્પેશ્યલ પપૈયા સલાડ
મહારાજ બનારસી પાન






ડૉ. જોલ ફૂહ્રમાન દ્વારા પ્રમાણિત ANDI
(aggregate nutrient index )

આ પદ્ધતિ મુજબ દરેક ખાવાની વસ્તુમાં પોષક તત્વ અને કેલરી હોઈ છે. ડૉ. જોલ ફૂહ્રમાન દરેક વસ્તુને એક થી લઈને એક હજાર સુધી માર્કસ આપે છે. જે વસ્તુ માં માર્ક્સ વધારે એ ડાયાબિટીસ અને તબિયત માટે વધારે સારી, જે વસ્તુ માં માર્ક્સ ઓછા એ ડાયાબિટીસ અને તબિયત માટે ખતરનાક. નીચીના ચાર્ટ માં અલગ અલગ વસ્તુ ના માર્ક્સ આપ્યા છે. વધારે માર્ક્સ વાળી વસ્તુ ખાવા થી ડાયાબિટીસ માં જલ્દી ફરક પડી જાય છે .

No
નામ
પોષક તત્વ
No
નામ
પોષક તત્વ
1
પાલક
707
24
મગ -લેન્ટીલ
72
2
તુલસી
518
25
તરબૂચ
71
3
મૂળા
502
26
પીચ
65
4
કોથમીર
481
27
રાજમાં
64
5
ગાજર
458
28
વટાણા
63
6
કોબી
434
29
કીવી
61
7
બ્રોકોલી
340
30
અંજીર
56
8
ફુદીનો
293
31
ચણા
55
9
પીળા, લાલ કેપસિકેમ મરચા
265
32
અનનાસ
54
10
કોળું
249
33
સફરજન
53
11
આદુ
200
34
કેરી
53
12
ટામેટા
186
35
મકાઈ
45
13
સ્ટ્રોબેરી
182
36
ઓટ્સ
36
14
સક્કરીયા
181
37
રીંગણાં
31
15
ઝૂચીની
145
38
કેળા
30
16
લીંબૂ
141
39
અખરોટ
30
17
દ્રાક્ષ
119
40
બદામ
28
18
દાડમ
119
41
બ્રાઉન રાઈસ
28
19
લસણ
118
42
સફેદ બટેટા
28
20
કાંદા
109
43
કાજુ
27
21
સંતરા
98
44
ખજૂર
17
22
કાકડી
87
45
સફેદ ચોખા
8
23
બીટ
80
46
કોકાકોલા
1

Diabetes Jagruti (DJ) Program

Diabetes Jagruti (DJ) Program ડાયાબિટીસ જાગૃતિ પ્રોગ્રામ અમેરિકાના ટોચના 12 ડોક્ટરો દ્વારા ડાયાબિટીસ દૂર કરવાના ઉપાય      ...